AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu-Kashmir: આતંકવાદીઓની નાપાક હરકત, શ્રીનગરમાં સૈનિકો પર કર્યો ગ્રેનેડ હુમલો, અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા

રવિવારે આતંકવાદીઓએ શ્રીનગર અમીરા કદલ માર્કેટમાં સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓ સહિત અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jammu-Kashmir: આતંકવાદીઓની નાપાક હરકત, શ્રીનગરમાં સૈનિકો પર કર્યો ગ્રેનેડ હુમલો, અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા
Jammu-Kashmir (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 5:44 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) આતંકવાદીઓ તેમની નાપાક હરકતોથી બચી રહ્યા નથી. રવિવારે આતંકવાદીઓએ (Terrorists) શ્રીનગર અમીરા કદલ માર્કેટમાં સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓ સહિત અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. આ પહેલા પણ આતંકીઓ જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ જિલ્લામાં આવી ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે અને ઘણા પકડાયા પણ છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે.

કિશ્તવાડમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ

એક દિવસ પહેલા, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકવાદી છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાંથી હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બે અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર, એક એકે-47 મેગેઝિન, ઈન્સાસ રાઈફલની 48 ગોળીઓ, એકે-47ના 10 રાઉન્ડ, 9 એમએમ હથિયારના 38 રાઉન્ડ, ચાઈનીઝ પિસ્તોલના બે રાઉન્ડ, એક છરી અને અન્ય ધારદાર હથિયાર મળી આવ્યા હતા.

બડગામમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓની ધરપકડ

આ પહેલા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બડગામમાં લશ્કરના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું છે કે સુરક્ષા દળોએ ખુદપોરામાં આતંકવાદીઓના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. અગાઉ, હંદવાડા જિલ્લામાં, સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન શસ્ત્રો અને દારૂગોળો સાથે ઘાયલ આતંકવાદીની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં દરરોજ આવી ઘટનાઓ બનતી રહે છે.

આ પણ વાંચો : Russia Ukraine War: દિગ્વિજય સિંહે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બનાવો યોજના

આ પણ વાંચો : PM Modi in Pune : પુણે મેટ્રોથી લઈને મૂલા-મુઠા નદીનું શુદ્ધિકરણ સુધી આ છે વિકાસનો રોડમેપ, જાણો પીએમ મોદીના ભાષણના 10 મુદ્દા

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">