દક્ષિણ ચીન સાગરમાં બળપૂર્વક સ્થિતિ બદલવા સામે ભારત-જાપાનનો વિરોધ, એસ જયશંકરે, જાપાનના વિદેશ પ્રધાન સાથે કરી વાત
ગયા મહિને, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે વાત કરી હતી અને તેમને જાપાનના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા.
અફઘાનિસ્તાન (Afghanistan)માં વિકાસ, દક્ષિણ ચીન સાગર (The South China Sea) ની સ્થિતિ અને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક (Indo-Pacific region) ક્ષેત્રને સુનિશ્ચિત કરવાના માર્ગો પર, વિદેશ પ્રધાન એસ. જયશંકર (External Affairs Minister S. Jaishankar) અને તેમના જાપાની (Japan) સમકક્ષ હયાશી યોશિમાસા (Hayashi Yoshimasa) વચ્ચે સોમવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી. જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને મંત્રીઓએ પ્રાદેશિક સ્થિતિ પર ચર્ચા કરી અને પૂર્વ ચીન સાગર અને દક્ષિણ ચીન સાગરમાં બળ દ્વારા યથાસ્થિતિને બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસો સામે તેમનો “મજબૂત વિરોધ” જાહેર કર્યો.
તેમાં કહેવામાં આવ્યું છે કે બંને વિદેશ પ્રધાનોએ જાપાનના વડા પ્રધાન ફુમિયા કિશિદા (Japanese Prime Minister Fumiya Kishida’) ની ભારત મુલાકાતને વહેલી તકે સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો છે અને બંને પક્ષો જાપાન-ભારત ‘ટુ પ્લસ ટુ’ મંત્રી સ્તરીય વાટાઘાટોના આગામી તબક્કાની રાહ જોશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો લવચીક અપૂર્તિ શૃંખલાની સ્થાપના કરીને આર્થિક સુરક્ષા પર સહયોગને મજબૂત કરશે.
મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓએ મ્યાનમાર અને અફઘાનિસ્તાન જેવી પ્રાદેશિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સહયોગને વધુ વધારવાનો નિર્ણય કર્યો. તેમણે કોવિડ-19 અને આતંકવાદ સામે લડવામાં સહકાર આપવાનું વચન પણ આપ્યું હતું. “તેઓએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલના નિર્માણ સાથે આગળ વધવાના પ્રયાસો ચાલુ રાખવાનો પણ નિર્ણય કર્યો,” જાપાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
PM મોદી (PM Narendra Modi) એ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે પણ વાત કરી હતી ગયા મહિને, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે વાત કરી હતી અને તેમને જાપાનના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચેના સહયોગને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.
એક ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે, “જાપાનના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન આપવા માટે ફ્યુમિયો કિશિદા સાથે વાત કરી. હું ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છું.”
દરમિયાન, એક નિવેદનમાં, વડા પ્રધાન કાર્યાલય (PMO) એ કહ્યું હતું કે બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં અને ઉચ્ચ તકનીકી અને ઉભરતા ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુ સહકાર વધારવાની શક્યતા પર સંમત થયા.
વડાપ્રધાને જાપાનની કંપનીઓને વધુ રોકાણ દ્વારા ભારતના આર્થિક સુધારાનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. પીએમઓએ કહ્યું હતું કે બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અભિગમોની વધતી સંવાદિતા અને મજબૂત સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં, તેમણે ક્વાડ ફ્રેમવર્ક હેઠળ સહકારની પ્રગતિની સમીક્ષા કરી.
આ પણ વાંચો: Bhakti: આજે અંગારકી સંકષ્ટી ચોથ, શું તમને ખબર છે સંકષ્ટીના પ્રારંભની આ પુરાણોક્ત કથા ?