કોરોનાકાળ દરમિયાન પણ ભારતીય રેલવેને થયો મોટો નફો, જાણો ભંગારના વેચાણથી કરી કેટલા હજાર કરોડની કમાણી

કોરોનાના કપરા સમયમાં રેલવે વિભાગ પણ પ્રભાવિત થયો હતો. પરંતુ ભંગારનું વેચાણ કરીને રેલવેએ સુધીનો સૌથી વધારે 4,575 કરોડનો નફો મેળવ્યો છે.

કોરોનાકાળ દરમિયાન પણ ભારતીય રેલવેને થયો મોટો નફો, જાણો ભંગારના વેચાણથી કરી કેટલા હજાર કરોડની કમાણી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 11:03 AM

Indian Railways : કોરોનાના સંકટ વચ્ચે રેલવે સુવીધા સંપુર્ણ રીતે પ્રભાવીત થઈ હતી. જેના કારણે રેલવે વિભાગની આવકમાં મોટું નુકસાન થયું હતું. આ તમામની વચ્ચે રેલવેએ ભંગારના (Scrap) વેચાણથી સારો નફો મેળવ્યો છે. જેનાથી નુકસાનને પહોંચી વળવામાં મદદ મળી હતી. માહિતીના અધિકાર (RTI) હેઠળ મળેલા જવાબમાં ખુલાસો થયો છે કે, 2020-21 માં રેલવેને સ્ક્રેપના વેચાણથી અત્યાર સુધીની સૌથી વધુ 4,545 કરોડ રૂપિયાની આવક થઈ છે.

આ પહેલા 2010-11 માં રેલવેએ ભંગારનું વેચાણ કરીને 4,409 કરોડની આવક મેળવી હતી. RTI એક્ટ હેઠળ મધ્યપ્રદેશના ચંદ્ર શેખર ગૌર દ્વારા માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રેલવે બોર્ડે જણાવ્યું કે, કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત 2020-21 માં રેલવેએ ગત વર્ષ કરતા ભંગાર દ્વારા 5 ટકા વધુ આવક મેળવી છે. સાથે જ જણાવ્યું કે, 2019-20માં 4,333 કરોડ રૂપિયાના ભંગાર મટિરિયલનું વેચાણ થયું હતું, જ્યારે વર્ષ 2020-21 માં સ્ક્રેપમાંથી 4,575 કરોડની આવક થઈ છે.

આ મામલે વાત કરતા રેલવે વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ આંકડો 2020-21 કોરોના રોગચાળા દરમિયાન 2020-21 ના ​​પહેલા ક્વાર્ટરમાં લગભગ શૂન્ય વેચાણ પ્રવૃત્તિ હોવા છતાં પ્રાપ્ત થયો છે. ખાસ કરીને 2020-21 ના ​​છેલ્લા ક્વાર્ટર દરમિયાન ભંગારના વેચાણમાં વેગ મળ્યો હતો. ઝોનલ રેલવેના સબંધિત વિભાગો વચ્ચેના સહયોગથી ન માત્ર લક્ષ્ય પ્રાપ્ત થયું પરતું તેને પણ પાર કરી દીધુ હતું. ઝોનલ રેલવે અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા સૌથી વધુ 491 કરોડ રૂપિયાનો આંકડો પ્રાપ્ત થયો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ભંગારમાં જૂના ટ્રેક, જૂના સ્ટ્રક્ચર્સ, જૂના એન્જિન અને કોચ વગેરે જેવી ચીજો શામેલ છે. માર્ગોના ઝડપી વીજળીકરણ દરમિયાન, ડીઝલ એન્જિનો બદલાઈ રહ્યા છે. જયારે ફેક્ટરીઓમાં ઉત્પાદન દરમિયાન વધુ જંક મટિરિયલ ઉત્પન્ન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રેલવેની આવકનો સારો સ્રોત રહ્યો છે. રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સ્ક્રેપના વેચાણની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે, વેસ્ટ વસ્તુઓની હરાજી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવી છે. હલે રેલવે બોર્ડે નાણાકીય વર્ષ 2021-22 માટે ભંગારના વેચાણથી 4,100 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.

આ પણ વાંચો: એક વર્ષમાં અમૂલના વેપારમાં આટલા કરોડનો થયો વધારો, જાણો દરરોજ કેટલા લાખ લિટર વેચાય છે દૂધ

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">