દેશમાં ટ્રેનોના અકસ્માત…દુર્ઘટના કે ષડયંત્ર ? ભારતની લાઈફલાઈન પર કોની નજર ?
ભારતની લાઈફલાઈન ગણાતી ટ્રેનોને વારંવાર નિશાન બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં કાનપુરથી અજમેર જતી ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. કાનપુરમાં રેલવે ટ્રેક પર સિલિન્ડર મળ્યા બાદ હવે રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક્સ મળી આવ્યા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે આ ટ્રેન અકસ્માતો દુર્ઘટના છે પછી કે કોઈ ષડયંત્ર ?

ભારતીય રેલવે કરોડો ભારતીયોની લાઈફલાઈન છે. દરરોજ કરોડો લોકો અલગ-અલગ ટ્રેનોમાં મુસાફરી કરે છે. અન્યની સરખામણીમાં ટ્રેનમાં મુસાફરી કરવી એ ખૂબ જ સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે. પરંતુ ભારતની લાઈફલાઈન હવે કોઈની નજર લાગી ગઈ છે. કારણ કે વારંવાર ટ્રેનોને નિશાન બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં કાનપુરથી અજમેર જતી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. કાનપુરમાં રેલવે ટ્રેક પર સિલિન્ડર મળ્યા બાદ હવે રાજસ્થાનના અજમેર જિલ્લામાં રેલવે ટ્રેક પર અલગ-અલગ જગ્યાએ લગભગ એક ક્વિન્ટલના સિમેન્ટના બ્લોક્સ મળી આવ્યા છે. દિલ્હી-હાવડા રેલવે સેક્શનને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહી છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var...
