AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે તરફથી મોટું અપડેટ ! કેટલાક કલાકો ટિકિટ બૂકિંગ અને કેન્સલેશન નહીં કરી શકો, જાણો સંપૂર્ણ વિગત

Indian Railway : રેલવેએ પેસેન્જર સેવાઓને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેની તરફથી કહેવામાં આવ્યું છે કે, PRS સેવાઓ 12-13 એપ્રિલની વચ્ચે લગભગ સાડા ચાર કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન બુકિંગ અને કેન્સલેશન સહિત અનેક પ્રકારની સેવાઓ બંધ રહેશે. અસુવિધાથી બચવા માટે રેલવેએ મુસાફરોને આ માહિતી આપી છે.

રેલવે તરફથી મોટું અપડેટ ! કેટલાક કલાકો ટિકિટ બૂકિંગ અને કેન્સલેશન નહીં કરી શકો, જાણો સંપૂર્ણ વિગત
PRS services
Follow Us:
| Updated on: Apr 11, 2024 | 8:40 AM

મુસાફરો માટે રેલવે તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ છે. જો તમે ટ્રેન દ્વારા ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે છે. દિલ્હી PRS સેવાઓ 12-13 એપ્રિલની મધ્યરાત્રિ વચ્ચે કેટલાક કલાકો માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈ સુવિધા ઉપલબ્ધ થશે નહીં.

તેમાં રિઝર્વેશન, કેન્સલેશન, ચાર્ટિંગ, PRS ઇન્ક્વાયરી (139 પર કાઉન્ટર સાથે) ઇન્ટરનેટ બુકિંગ અને EDR સેવાઓનો સમાવેશ થાય છે. આનું કારણ સ્ટેટિક અને ડાયનેમિક એક્ટિવિટી છે. લગભગ 4.30 કલાક સુધી સેવાઓ પ્રભાવિત થશે. આમાંથી કોઈ પણ સેવા 12 એપ્રિલના રોજ 11.45 વાગ્યાથી 13 એપ્રિલના રોજ સવારે 4.15 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે નહીં.

મુસાફરો ધ્યાન આપે…

રેલવેએ મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે આ માહિતી આપી છે. મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું કે, 12-13 એપ્રિલની વચ્ચે દિલ્હી PRS સેવા લગભગ સાડા ચાર કલાક માટે અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. જેના કારણે મુસાફરોને અનેક પ્રકારની સેવાઓ મળી શકશે નહીં.

દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે
આજનું રાશિફળ તારીખ : 08-07-2025

રેલવે PRS સેવા શું છે?

PRS એટલે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ. આ ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા છે. PRS નો ઉપયોગ કરીને મુસાફરો ટ્રેનોમાં રિઝર્વ અને અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરે છે.

PRS સર્વિસના ફાયદા શું છે?

  • મુસાફરોને ઘરે બેઠા ટિકિટ બુક કરાવવાની સુવિધા મળે છે.
  • ટિકિટ બુકિંગ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી.
  • તે પ્રવાસીઓને તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરવામાં મદદ કરે છે.
  • ટિકિટ બુકિંગ પ્રક્રિયા સરળ અને અનુકૂળ બને છે.

તમે સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરશો?

PRS સેવાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિએ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) વેબસાઇટ અથવા IRCTC રેલ કનેક્ટ એપ્લિકેશન પર જવું પડશે. પેસેન્જરે આ વેબસાઈટ અથવા એપ પર પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. આ પછી તેઓ ટિકિટ બુક કરાવી શકશે.

g clip-path="url(#clip0_868_265)">