Odisha: ભારતની તાકાતમાં વધારો, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે આજે ઓડિશાના બાલાસોર કિનારે મધ્યમ અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

Odisha: ભારતની તાકાતમાં વધારો, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરીક્ષણ
Medium Range Surface to Air Missile (Symbolic photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 1:21 PM

ભારતે આજે ઓડિશામાં  (Odisha) મધ્યમ રેન્જની જમીનથી હવામાં માર કરતી મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમનું (Missile Air Defence System) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓરિસ્સાના બાલાસોર તટ પર કરવામાં આવ્યું છે. ડીઆરડીઓના (DRDO) એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેનાનો ભાગ છે. અધિકારીએ કહ્યું કે આ પરીક્ષણમાં મિસાઈલે લાંબા અંતરથી પોતાના નિર્ધારેલા લક્ષ્ય પર સીધો હુમલો કર્યો.

અગાઉ, ભારતે 23 માર્ચે જમીનથીજમીન પર બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (BrahMos Supersonic Cruise Missile) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિસાઈલ પરીક્ષણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કરવામાં આવ્યુ હતુ. સંરક્ષણ અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે આ મિસાઈલે સીધું જ પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ પણ તેમને આ જમીન પરથી સજમીન પર પ્રહાર કરતી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભારત સતત સંરક્ષણ ક્ષેત્ર પર ભાર આપી રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત તેના સંરક્ષણ બજેટમાં સતત વધારો કરી રહ્યું છે. દેશનું ધ્યાન સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા પર છે. તેથી, કેન્દ્ર સરકાર, ભારતની સંરક્ષણ આયાત (આયાત) ઘટાડવા અને નિકાસ (નિકાસ) વધારવા માટે સતત કામ કરી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતની શસ્ત્રોની નિકાસ 6 ગણી વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતે અત્યાર સુધીમાં 11607 કરોડ રૂપિયાના શસ્ત્રોની નિકાસ કરી છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2014-15માં ભારતે 1941 કરોડના શસ્ત્રોની નિકાસ કરી હતી, જે હવે નાણાકીય વર્ષ 2021-22માં 11,607 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

સંરક્ષણ નિકાસ વધારવાનો લક્ષ્યાંક

છેલ્લા સાત વર્ષમાં મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં દેશની સંરક્ષણ નિકાસ વધારીને રૂ. 36,500 કરોડ કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર, સંરક્ષણ બજેટમાં ખર્ચના આધારે ભારત, અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. SIPRI અનુસાર, ભારતે 2011 અને 2020 વચ્ચે સંરક્ષણ બજેટ પર ખર્ચમાં 76 ટકાનો વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને જોડવા શા માટે આતુર ?

આ પણ વાંચોઃ

Mann Ki Baat Highlights : ભારતમાંથી થયેલી વિક્રમી નિકાસ, મેક ઈન ઈન્ડિયાનુ શ્રેષ્ઠ ઉદાહરણઃ પીએમ મોદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">