Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.3 લાખથી વધુ કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ 9,000ને પાર

આંકડાઓ અનુસાર સંક્રમણનો દૈનિક દર 19.65 ટકા અને સાપ્તાહિક દર 14.41 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ 19થી મૃત્યુ દર 1.30 ટકા છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.3 લાખથી વધુ કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ 9,000ને પાર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 10:52 AM

દેશમાં કોરોના (Corona Virus)ના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ 2.5 લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,38,018 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે ઓમિક્રોન (Omicron) વેરિએન્ટના કેસ પણ 9 હજારની પાર પહોંચી ગયા છે. રાહતની વાત એ છે કે આઈસીયુમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. નિષ્ણાંતો મુજબ દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ આ વર્તમાન લહેરમાં મોટાભાગના કેસ ‘ઓમિક્રોન’ના છે.

આંકડાઓ અનુસાર સંક્રમણનો દૈનિક દર 19.65 ટકા અને સાપ્તાહિક દર 14.41 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ 19થી મૃત્યુ દર 1.30 ટકા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અત્યાર સુધી 70 કરોડથી વધુ સેમ્પલનું થઈ ચૂક્યુ છે ટેસ્ટિંગ

ICMR મુજબ ભારતમાં ગઈકાલે કોરોના વાઈરસના 16,49,143 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યાર સુધી 70,54,11,425 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

દેશમાં 17,36,628 એક્ટિવ કેસ

એક દિવસમાં કોવિડ 19ના 2,38,018 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાઈરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3.7 કરોડ થઈ ગઈ છે. સંક્રમણના કુલ કેસમાં કોરોના વાઈરસના ઓમિક્રોનના 8,891 કેસ પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 29 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટના 8,891 કેસ સામે આવ્યા છે.

દેશમાં કોવિડ 19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,36,628 થઈ ગઈ છે. ત્યારે વધુ 310 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધીને 4,86,761 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકોએ કોરોનાને માત આપી છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ 19 રસીના 1,58,04,41,770 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Delhi Air Pollution: ઠંડીના કહેર વચ્ચે દિલ્હીમાં પ્રદૂષણ ફરી વધ્યું, AQI 312 પર પહોંચ્યો, 21 જાન્યુઆરીથી મળશે રાહત

આ પણ વાંચો: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિની પુત્રવધૂ સાડી પહેરીને ટેનિસ રમતી, 42 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">