AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.3 લાખથી વધુ કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ 9,000ને પાર

આંકડાઓ અનુસાર સંક્રમણનો દૈનિક દર 19.65 ટકા અને સાપ્તાહિક દર 14.41 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ 19થી મૃત્યુ દર 1.30 ટકા છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.3 લાખથી વધુ કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ 9,000ને પાર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 10:52 AM
Share

દેશમાં કોરોના (Corona Virus)ના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ 2.5 લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,38,018 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે ઓમિક્રોન (Omicron) વેરિએન્ટના કેસ પણ 9 હજારની પાર પહોંચી ગયા છે. રાહતની વાત એ છે કે આઈસીયુમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. નિષ્ણાંતો મુજબ દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ આ વર્તમાન લહેરમાં મોટાભાગના કેસ ‘ઓમિક્રોન’ના છે.

આંકડાઓ અનુસાર સંક્રમણનો દૈનિક દર 19.65 ટકા અને સાપ્તાહિક દર 14.41 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ 19થી મૃત્યુ દર 1.30 ટકા છે.

અત્યાર સુધી 70 કરોડથી વધુ સેમ્પલનું થઈ ચૂક્યુ છે ટેસ્ટિંગ

ICMR મુજબ ભારતમાં ગઈકાલે કોરોના વાઈરસના 16,49,143 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યાર સુધી 70,54,11,425 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

દેશમાં 17,36,628 એક્ટિવ કેસ

એક દિવસમાં કોવિડ 19ના 2,38,018 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાઈરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3.7 કરોડ થઈ ગઈ છે. સંક્રમણના કુલ કેસમાં કોરોના વાઈરસના ઓમિક્રોનના 8,891 કેસ પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 29 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટના 8,891 કેસ સામે આવ્યા છે.

દેશમાં કોવિડ 19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,36,628 થઈ ગઈ છે. ત્યારે વધુ 310 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધીને 4,86,761 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,53,94,882 લોકોએ કોરોનાને માત આપી છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ 19 રસીના 1,58,04,41,770 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Delhi Air Pollution: ઠંડીના કહેર વચ્ચે દિલ્હીમાં પ્રદૂષણ ફરી વધ્યું, AQI 312 પર પહોંચ્યો, 21 જાન્યુઆરીથી મળશે રાહત

આ પણ વાંચો: ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિની પુત્રવધૂ સાડી પહેરીને ટેનિસ રમતી, 42 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">