AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિષ્ણાતોનો દાવો – ખતરો હજી ટળ્યો નથી ! આગામી 14 દિવસમાં કોરોનાની ટોચ આવશે, R-વેલ્યુમાં ઘટાડો થશે

IIT મદ્રાસના વિશ્લેષણ મુજબ, 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યુ 1.57, 7 થી 13 જાન્યુઆરીની વચ્ચે 2.2, જાન્યુઆરી 1 અને 6 વચ્ચે 4 અને 25 અને 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 હતી.

નિષ્ણાતોનો દાવો - ખતરો હજી ટળ્યો નથી ! આગામી 14 દિવસમાં કોરોનાની ટોચ આવશે, R-વેલ્યુમાં ઘટાડો થશે
Corona virus R value (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 6:27 PM
Share

દેશમાં કોરોના (Corona) સામેની લડાઈ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દરમિયાન, IIT મદ્રાસનું કહેવું છે કે આગામી 14 દિવસમાં (6 ફેબ્રુઆરી સુધીમાં) કોરોનાના ત્રીજી લહેરની ટોચ આવશે. આર-વેલ્યુમાં (R-value) વધુ ઘટાડો થયો છે. IIT મદ્રાસના વિશ્લેષણ મુજબ, 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યુ 1.57, 7 થી 13 જાન્યુઆરીની વચ્ચે 2.2, જાન્યુઆરી 1 થી 6 વચ્ચે 4 અને 25 થી 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 હતી.

IIT મદ્રાસના પ્રોફેસર નિલેશ એસ ઉપાધ્યાય અને પ્રોફેસર એસ સુંદરના નેતૃત્વમાં ગણિત વિભાગ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કોમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સ, IIT મદ્રાસ, કોમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રારંભિક વિશ્લેષણ હાથ ધરે છે. માહિતી અનુસાર, મુંબઈનું આર-વેલ્યુ 0.67, દિલ્હીનું આર-વેલ્યુ 0.98, ચેન્નાઈનું આર-વેલ્યુ 1.2 અને કોલકાતાનું આર-વેલ્યુ 0.56 છે.

ત્રીજી લહેર 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે ટોચ પર હશે

IIT મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું કે મુંબઈ અને કોલકાતાની આર-વેલ્યુ સૂચવે છે કે ત્યાં સંક્રમણની ટોચ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે દિલ્હી અને ચેન્નાઈમાં તે હજુ પણ એકની નજીક છે. ઝાએ વધુમાં કહ્યું કે તેમના વિશ્લેષણ મુજબ, આગામી 14 દિવસમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોના વાયરસના કેસ ટોચ પર આવશે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી લહેરની ટોચ આવશે.

આર-વેલ્યુ (R-value) શું છે ?

‘આર-વેલ્યુ’ દર્શાવે છે કે COVID-19 કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો આ મૂલ્ય એકથી નીચે આવે છે, તો રોગચાળો સમાપ્ત થયો હોવાનું માનવામાં આવે છે. IIT મદ્રાસના ગણિત વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું હતું કે R મૂલ્ય સંપર્ક દર અને અપેક્ષિત સમય અંતરાલ પર આધાર રાખે છે જેમાં સંક્રમણ લાગી શકે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,33,533 નવા કેસ નોંધાયા છે

ભારતમાં વિતેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,33,533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,92,37,264 થઈ ગઈ છે. જ્યારે, આ વાયરસને કારણે 525 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 489,409 થઈ ગઈ છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં 259,168 લોકો સાજા પણ થયા છે.

આ પણ વાંચોઃ

Ct Value of Omicron : શું છે ઓમિક્રોન વેરિઅન્ટની Ct Value ? વાંચો વિગત

આ પણ વાંચોઃ

Covid-19: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">