નિષ્ણાતોનો દાવો – ખતરો હજી ટળ્યો નથી ! આગામી 14 દિવસમાં કોરોનાની ટોચ આવશે, R-વેલ્યુમાં ઘટાડો થશે

IIT મદ્રાસના વિશ્લેષણ મુજબ, 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યુ 1.57, 7 થી 13 જાન્યુઆરીની વચ્ચે 2.2, જાન્યુઆરી 1 અને 6 વચ્ચે 4 અને 25 અને 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 હતી.

નિષ્ણાતોનો દાવો - ખતરો હજી ટળ્યો નથી ! આગામી 14 દિવસમાં કોરોનાની ટોચ આવશે, R-વેલ્યુમાં ઘટાડો થશે
Corona virus R value (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 6:27 PM

દેશમાં કોરોના (Corona) સામેની લડાઈ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દરમિયાન, IIT મદ્રાસનું કહેવું છે કે આગામી 14 દિવસમાં (6 ફેબ્રુઆરી સુધીમાં) કોરોનાના ત્રીજી લહેરની ટોચ આવશે. આર-વેલ્યુમાં (R-value) વધુ ઘટાડો થયો છે. IIT મદ્રાસના વિશ્લેષણ મુજબ, 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યુ 1.57, 7 થી 13 જાન્યુઆરીની વચ્ચે 2.2, જાન્યુઆરી 1 થી 6 વચ્ચે 4 અને 25 થી 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 હતી.

IIT મદ્રાસના પ્રોફેસર નિલેશ એસ ઉપાધ્યાય અને પ્રોફેસર એસ સુંદરના નેતૃત્વમાં ગણિત વિભાગ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કોમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સ, IIT મદ્રાસ, કોમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રારંભિક વિશ્લેષણ હાથ ધરે છે. માહિતી અનુસાર, મુંબઈનું આર-વેલ્યુ 0.67, દિલ્હીનું આર-વેલ્યુ 0.98, ચેન્નાઈનું આર-વેલ્યુ 1.2 અને કોલકાતાનું આર-વેલ્યુ 0.56 છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ત્રીજી લહેર 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે ટોચ પર હશે

IIT મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું કે મુંબઈ અને કોલકાતાની આર-વેલ્યુ સૂચવે છે કે ત્યાં સંક્રમણની ટોચ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે દિલ્હી અને ચેન્નાઈમાં તે હજુ પણ એકની નજીક છે. ઝાએ વધુમાં કહ્યું કે તેમના વિશ્લેષણ મુજબ, આગામી 14 દિવસમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોના વાયરસના કેસ ટોચ પર આવશે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી લહેરની ટોચ આવશે.

આર-વેલ્યુ (R-value) શું છે ?

‘આર-વેલ્યુ’ દર્શાવે છે કે COVID-19 કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો આ મૂલ્ય એકથી નીચે આવે છે, તો રોગચાળો સમાપ્ત થયો હોવાનું માનવામાં આવે છે. IIT મદ્રાસના ગણિત વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું હતું કે R મૂલ્ય સંપર્ક દર અને અપેક્ષિત સમય અંતરાલ પર આધાર રાખે છે જેમાં સંક્રમણ લાગી શકે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,33,533 નવા કેસ નોંધાયા છે

ભારતમાં વિતેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,33,533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,92,37,264 થઈ ગઈ છે. જ્યારે, આ વાયરસને કારણે 525 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 489,409 થઈ ગઈ છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં 259,168 લોકો સાજા પણ થયા છે.

આ પણ વાંચોઃ

Ct Value of Omicron : શું છે ઓમિક્રોન વેરિઅન્ટની Ct Value ? વાંચો વિગત

આ પણ વાંચોઃ

Covid-19: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">