AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પ ટેરિફની બૂમ વચ્ચે SBI ના રિપોર્ટરમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, ભારતને શું અસર થઈ જાણો..

SBI રિસર્ચ મુજબ, ટ્રમ્પ ટેરિફ છતાં ભારતની નિકાસ સ્થિર રહી છે. કાપડ, ઘરેણાં અને સીફૂડ જેવા ક્ષેત્રો પ્રભાવિત થયા, પણ સરકારે ₹45,060 કરોડની સહાય મંજૂર કરી.

ટ્રમ્પ ટેરિફની બૂમ વચ્ચે SBI ના રિપોર્ટરમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, ભારતને શું અસર થઈ જાણો..
| Updated on: Nov 22, 2025 | 9:01 PM
Share

SBI રિસર્ચના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાગુ કરાયેલા ઊંચા યુએસ ટેરિફ છતાં ભારતને ખાસ નુકસાન થયું નથી. ટ્રમ્પ ટેરિફનો સૌથી વધુ અસરગ્રસ્ત સેક્ટર કાપડ, ઘરેણાં અને સીફૂડ.. ખાસ કરીને ઝીંગા રહ્યો છે. નિકાસકારોને સહારો આપવા માટે સરકારે કુલ ₹45,060 કરોડની સહાયતા મંજૂર કરી છે, જેમાં ₹20,000 કરોડની ક્રેડિટ ગેરંટીનો સમાવેશ થાય છે.

ભારતની નિકાસમાં સ્થિરતા

SBI રિસર્ચ પ્રમાણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા હોવા છતાં ભારતની નિકાસ સ્થિર રહી છે. નાણાકીય વર્ષ 2026 માં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ભારતની નિકાસ $220 બિલિયન સુધી પહોંચી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા જેટલી $214 બિલિયનની તુલનામાં 2.9% વધારે છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ પણ 13% વધીને $45 બિલિયન થઈ છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે નિકાસ લગભગ 12% ઘટી ગઈ હતી.

જુલાઈ 2025 થી સપ્ટેમ્બર દરમિયાન ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ઘટીને 15% થયો છે. દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં યુએસનો હિસ્સો FY25 માં 20% હતો, જે સપ્ટેમ્બરમાં ઘટીને 15% રહ્યો. કિંમતી પથ્થરોની નિકાસમાં અમેરિકાનો હિસ્સો 37% થી ઘટીને ફક્ત 6% રહ્યો છે.

આ દેશોમાંથી નિકાસમાં વધારો

એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળામાં દરિયાઈ ઉત્પાદનો અને તૈયાર સુતરાઉ વસ્ત્રો બંનેમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. નિકાસનું ભૂગોળીય વૈવિધ્ય પણ વધ્યું છે.

UAE, ચીન, વિયેતનામ, જાપાન, હોંગકોંગ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નાઇજીરીયા જેવા દેશોએ અનેક ઉત્પાદન જૂથોમાં તેમના આયાત હિસ્સામાં વધારો કર્યો છે.

SBI રિસર્ચનું કહેવું છે કે આ વધારો કેટલીક પરિસ્થિતિમાં ભારતીય માલની પરોક્ષ આયાતનો સંકેત પણ હોઈ શકે છે. ખાસ કરીને, અમેરિકાથી કિંમતી પથ્થરોની આયાતમાં ઓસ્ટ્રેલિયાનો હિસ્સો 2% થી વધીને 9% થયો છે, જ્યારે હોંગકોંગનો હિસ્સો 1% થી વધીને 2% થયો છે.

નિકાસકારો માટે સરકારના પ્રોત્સાહન પગલા

ટ્રમ્પ સરકારના ઊંચા ટેરિફને કારણે પ્રભાવિત નિકાસકારોને મદદરૂપ થવા ભારત સરકારે ₹45,060 કરોડની સહાયતા પેકેજની જાહેરાત કરી છે. તેમાં ₹20,000 કરોડની ક્રેડિટ ગેરંટીનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને MSME અને નાના નિકાસકારો માટે ફાયદાકારક બનશે.

આ વચ્ચે, વૈશ્વિક નાણાકીય ઉથલપાથલના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. શુક્રવારે રૂપિયો ડોલર સામે ઘટીને 89.49 ના સ્તરે પહોંચ્યો.

રાજકોષીય ખાધમાં સુધારો

ભારતની રાજકોષીય ખાધ FY26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ના 0.2% સુધી ઘટી ગઈ છે. ગયા વર્ષના 0.9% ની તુલનામાં આ નોંધપાત્ર સુધારો છે. આ સુધારાને સેવા નિકાસ અને રેમિટન્સે મજબૂત ટેકો આપ્યો છે.

SBI રિસર્ચનું અનુમાન છે કે આવતા બે ત્રિમાસિક ગાળામાં ખાધમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ નાણાકીય વર્ષના અંતે તે ફરી સકારાત્મક બની જશે. સંસ્થાનું માનવું છે કે આખા વર્ષની રાજકોષીય ખાધ GDP ના 1.0–1.3% વચ્ચે રહેશે અને ‘બેલેન્સ ઑફ પેમેન્ટ’ $10 બિલિયન સુધી પહોંચશે.

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">