ગયા વખતે ઈન્કમટેક્સમાં અપાઈ હતી છૂટ, શું આ વખતે બજેટમાં પગારદાર વર્ગને મળશે વધુ રાહત ?

|

Jan 31, 2024 | 11:18 AM

કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ પ્રવચન આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે. ગત વખતે બજેટમાં નોકરિયાત વર્ગને ટેક્સમાં મોટી રાહત મળી હતી, શું આ વખતે પણ રાહત આપશે ?

ગયા વખતે ઈન્કમટેક્સમાં અપાઈ હતી છૂટ, શું આ વખતે બજેટમાં પગારદાર વર્ગને મળશે વધુ રાહત ?

Follow us on

દેશના બજેટમાં સરકાર જે વચનો આપે છે, તેમા પગાર વર્ગની વ્યક્તિ તેને આવકવેરામાં કેટલી રાહત મળે તેના પર વધુ ધ્યાન આપે છે. આ વર્ષે મોદી સરકારનું ચૂંટણીલક્ષી વચગાળાનું બજેટ હોઈ શકે છે, આવી સ્થિતિમાં જોવું એ રહ્યું કે શું સરકાર પગારદાર વર્ગને આવકવેરામાં મોટી રાહત આપશે કે નહી ? ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 2019ના વચગાળાના બજેટમાં આવકવેરામાં પગાર વર્ગને ઘણી રાહત આપી હતી.

ગયા વર્ષે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સરકારની ‘નવી ટેક્સ વ્યવસ્થા’ને આકર્ષક બનાવવા માટે કામ કર્યું હતું. કે જેથી વધુને વધુ લોકો તેને પસંદ કરે, તે પણ ડિફોલ્ટ બનાવવામાં આવ્યું હતું. ચાલો ગત વર્ષની ટેક્સ છૂટ અને 2019માં મળેલી રાહતો પર એક નજર કરીએ…

7.5 લાખની આવક કરમુક્ત બને છે

ગયા વર્ષના બજેટમાં, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરીને 7 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી હતી. આટલું જ નહીં, જૂની કર વ્યવસ્થામાં ઉપલબ્ધ પ્રમાણભૂત કપાતનો લાભ પણ ‘નવી ટેક્સ વ્યવસ્થા’માં ઉમેરવામાં આવ્યો હતો. આ કારણે પગારદાર વર્ગ માટે 50,000 રૂપિયાની આવક કરમુક્ત બની ગઈ છે. આ રીતે, ‘નવી ટેક્સ સિસ્ટમ’માં, સરકારે 7.5 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વાત અહીં અટકતી નથી, વરિષ્ઠ નાગરિકોને આવકવેરા બચાવવામાં મદદ મળવી જોઈએ. તેની જમા રકમ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી હતી. જ્યારે, માસિક આવક ખાતાની યોજનાની મર્યાદા પણ વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

એ જ રીતે 2019માં જ્યારે મોદી સરકારે તેનું છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે પણ પગારદાર વર્ગને ભેટ આપવા માટે બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને રૂ. 50,000 કરી હતી. તેથી સરકાર આ વર્ષે પણ બજેટમાં રાહત આપી શકે તેવી અપેક્ષા છે.

આ વર્ષે આવકવેરામાં છૂટ અપેક્ષિત છે

સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં, જૂની કર વ્યવસ્થા હજુ પણ દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, પગારદાર વર્ગને આશા છે કે સરકાર જૂની ટેક્સ વ્યવસ્થામાં થોડી વધુ રાહત આપી શકે છે. આમાં સેક્શન 80(C) હેઠળ બચત મર્યાદા વધારી શકે છે. જ્યારે, હોમ લોન પર મળતું ડિસ્કાઉન્ટ પણ વધારી શકાય છે. જેથી કરીને બાંધકામ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળે.

Published On - 10:10 am, Wed, 31 January 24

Next Article