પશ્ચિમ બંગાળમાં ગર્જ્યા PM Modi-કહ્યું ટીએમસી ભ્રષ્ટાચારીઓને બચાવે છે, મોદીને દુશ્મન નંબર વન માને છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપની કેન્દ્ર સરકાર ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓને સશક્ત કરી રહી છે. જેના દ્વારા વિકાસ કરી શકાય પરંતુ પશ્ચિમ બંગાળમાં ટીએમસી કેન્દ્રની યોજનાઓનો અમલ થવા દેતી નથી. ટીએમસીને એક નિશ્ચિત વોટબેંકનો ઘમંડ છે. આ લોકસભાની ચૂંટણીથી પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારના પરાજયનુ કાઉન્ટ ડાઉન શરૂ થશે.

પશ્ચિમ બંગાળમાં ગર્જ્યા PM Modi-કહ્યું ટીએમસી ભ્રષ્ટાચારીઓને બચાવે છે, મોદીને દુશ્મન નંબર વન માને છે
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 4:52 PM

પશ્ચિમ બંગાળમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા બાદ, જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારને નિશાને લીધી હતી. તેમણે કહ્યું કે, ટીએમસીના મુખ્યપ્રધાન ભ્રષ્ટાચારીઓને બચાવવા ધરણા પર બેસી જાય છે. કેન્દ્રની અનેક યોજનાનો અમલ કરતી નથી, પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોની આડે રોડા નાખે છે. મોદીને ટીએમસી દુશ્મન નંબર વન માને છે. પરંત મોદી ગાળો અને હુમલાથી ડરે તેવા નથી. ગરીબોને લૂટનારાએ એક એક રૂપિયો પાછો આપવો પડશે. લોકસભાની આગામી ચૂંટણીથી પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારની પડતીનુ કાઉન્ટ ડાઉન શરૂ થશે. સંદેશખાલીની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે.

વડાપ્રધાન મોદીએ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીને નિશાને લેતા કહ્યું કે, જ્યારે કેન્દ્રની મોદી સરકાર ભ્રષ્ટાચારી સામે પગલા લે છે કાર્યવાહી કરે છે ત્યારે મુખ્યપ્રધાન ભ્રષ્ટાચારીને બચાવવા ઘરણા પર બેસી જાય છે. મોદી મનમાની ચાલવા નથી દેતા તેથી ટીએમસી મોદીને દુશ્મન નંબર વન માને છે. ટીએમસી જે કરે છે તે હુ નહીં કરવા દઉ. બીજાને લુંટવા નહીં દઉ. લૂટારાની પાછળ પડીને પગલાં લેવાશે અને લૂંટવા વાળાએ રૂપિયા પાછા આપવા પડશે. મોદી છોડશે નહી, મોદી ગાળો કે હુમલાથી ડરવાનો કે રોકાવાનો નથી.

સંદેશખાલીની ઘટનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, મા, માટી, માનુષના જોરશોરથી ઢોલ પીટતી ટીએમસી સરકારે સંદેશખાલીની બહેનો સાથે ઘટેલી ઘટના અંગે કશુ કર્યું નથી. આખો દેશ સંદેશખાલીની ઘટનાને લઈને દુઃખી અને ગુસ્સે છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

પશ્ચિમ બંગાળના લોકોને મોદીએ ગેરંટી આપી છે જેમણે ગરીબોને લૂટ્યા છે તેમણે પાછા આપવા જ પડશે. ટીએમસી સરકારના રવૈયાને કારણે પશ્ચિમ બંગાળનો વિકાસ પ્રભાવિત થયો છે. ટીએમસી સરકારને કારણે મધ્યમવર્ગને, ગરીબોને પરિણામ ભોગવવા પડી રહ્યાં છે.

વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધતા કહ્યું કે, 18000 કરોડ રૂપિયાના જગદીશપુર હલદીયા પ્રોજેકટ ચાર વર્ષથી પડતર રહ્યો છે. તારકેશ્વરથી વિષ્ણુપુરનો રેલવે પ્રોજેકટ પણ લટકતો રહ્યો છે. રૂપિયા મંજૂર કર્યા પણ કામ નથી થતું. ટીએમસી ગરિબોના ઘર પણ બનવા નથી દેતી. 4 કરોડ ગરીબોને પાકા ઘર આપ્યા છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ગરીબોને કેન્દ્રની ભાજપ સરકારે 45 લાખ મકાન સ્વીકૃત કર્યા છે. 42000 કરોડ આપ્યા છે પરંતુ ગરીબોના ઘર બનાવવા ઝડપથી કામ નથી કરતી. રુકાવટ પેદા કરે છે. રૂપિયા છે તો ગરીબોના ઘર બનવા જોઈએ પરંતુ ટીએમસી બનાવી નથી રહી. ગરીબોના ઘર બનાવશે તો ભાજપ બનાવશે.

જાહેરસભામાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, નળ સે જળની સુવિધા દેશમાં આપવામાં આવી છે. પરંતુ પશ્ચિમ બંગાળની સરકાર કાચબાની ઝડપે કામ કરે છે. આમને માફ કરવા જોઈએ કે નહી. જે તમારા ઘરે જળ ના આવવા દે તેમના અન્ન પાણી બંધ કરી દેવા જોઈએ. કેન્દ્ર સરકાર પૈસા આપે છે પરંતુ અહીની સરકાર તેનો ઉપયોગ પણ કરતી નથી તેમ કહ્યું.

મોદીએ દરેક ગરીબ પરિવારને પાંચ લાખ સુધી વિનામૂલ્યે તબીબી સારવાર આપવાની યોજના અમલમાં લાવી છે. પરંતુ ગરીબ, એસસી. એસટી વિરોધી ટીએમસી સરકાર સવા કરોડ પરિવારને લાભ લેવા નથી દેતી. ગરીબોને વિનામૂલ્યે ઈલાજ મળવો જોઈએ પરંતુ ગરીબ વિરોધી ટીએમસી એમ પણ નથી કરવા દેતી. મોદી દેશમાં આપે છે પણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને કારણે નથી આપી રહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપની કેન્દ્ર સરકાર ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓને સશક્ત કરી રહી છે. જેના દ્વારા વિકાસ કરી શકાય પરંતુ પશ્ચિમ બંગાળમાં ટીએમસી કેન્દ્રની યોજનાઓનો અમલ થવા દેતી નથી. ટીએમસીને એક નિશ્ચિત વોટબેંકનો ઘંમડ છે. આ લોકસભાની ચૂંટણીથી પશ્ચિમ બંગાળની સરકારના પરાજયનો કાઉન્ટ ડાઉન શરૂ થશે. આ વખતે લોકસભાની બેઠકોનો આંક઼ડો ચારસોને પાર થશે.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">