AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વસ્તી ગણતરીમાં તમારે ઘરે બેઠા બેઠા જ જાતે ઓનલાઈન વિગતો ભરવી હોય, તો આટલા સ્ટેપ ફોલો કરો, ગુજરાત માટે નક્કી કરાઈ છે આ તારીખ

India Census 2027 : ભારતની 16મી વસ્તી ગણતરી 1 એપ્રિલ, 2026 ના રોજથી શરૂ થઈ ચૂકી છે. 2027 ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત જ ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત નાગરિકોને 'સ્વ-ગણતરી' ની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

વસ્તી ગણતરીમાં તમારે ઘરે બેઠા બેઠા જ જાતે ઓનલાઈન વિગતો ભરવી હોય, તો આટલા સ્ટેપ ફોલો કરો, ગુજરાત માટે નક્કી કરાઈ છે આ તારીખ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2026 | 2:11 PM
Share

Census 2027: ભારત વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી હાથ ધરી રહ્યું છે. આ વસ્તી ગણતરી, જે સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવશે. વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ કરાશે. વસ્તી ગણતરી 2027 નો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. આ વખતની વસ્તી ગણતરી, અગાઉ હાથ ધરાયેલ તમામ વસ્તી ગણતરીઓની તુલનામાં ઘણીબધી બાબતોમાં અલગ છે. આ વખતે, ભારતના બધા રહેવાસીઓ પોતાની ગણતરી જાતે પણ કરી કરશે. આ માટે એક પ્રક્રિયા છે જેને ‘સ્વ-ગણતરી’ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને વસ્તી ગણતરીની કવાયત પસંદગીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે.

વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે

વસ્તી ગણતરી કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ મૃત્યુંજય કુમાર નારાયણે દિલ્હીમાં સંબોધેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી 2027 બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં ‘ઘરની યાદી અને રહેઠાણની ગણતરી’ (HLO)નો સમાવેશ થશે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ પછી બીજો તબક્કો – ‘વસ્તી ગણતરી’ (વસ્તીની વાસ્તવિક ગણતરી) હાથ ધરાશે. જે ફેબ્રુઆરી 2027 માં હાથ ધરવામાં આવશે.

પ્રથમ વખત જ ‘સ્વ-ગણતરી’ સુવિધા

2027માં હાથ ધરાનાર વસ્તી ગણતરીની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા ‘સ્વ-ગણતરી’ છે. આનો અર્થ એ છે કે, લોકો 16 ભાષાઓમાં ઉપલબ્ધ ખાસ વેબ પોર્ટલ દ્વારા – તેમના ઘરે બેઠા આરામથી, વસ્તી ગણતરીને લગતી તેમની વિગતો જાતે જ ભરી શકશે. ભારતના રહેવાસીઓને તેમની માહિતી ઓનલાઈન સબમિટ કરવા માટે 15 દિવસનો સમય ફાળવવામાં આવશે. ઓનલાઈન વસ્તી ગણતરી કરવા માટેનો સમયગાળો ડોર ટુ ડોર સર્વે શરૂ થાય તે પહેલાં તરત જ શરૂ થશે.

મૃત્યુંજય કુમાર નારાયણે આ સમગ્ર પ્રકિયા અંગે જણાવ્યું કે, “સ્વ-ગણતરી એ એક વધારાની સુવિધા છે. જે ઉત્તરદાતાઓને તેમની સુવિધા અનુસાર તેમની માહિતી પ્રદાન કરવાની સુગમતા આપે છે.” આમ કરવા માટે, તમારે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન થવું પડશે અને તમારી વિગતો ભર્યા પછી સ્વ-ગણતરી ID (SE ID) જનરેટ થશે. આ સ્વ-ગણતરી ID, પાછળથી જે વસ્તી ગણતરીકર્તા તમારા ઘરે આવીને મુલાકાત કરે ત્યારે તેમની સમક્ષ રજૂ કરવી પડશે.

Online Census 2027

ગુજરાતમાં આગામી 5 એપ્રિલથી 19 એપ્રિલ, 2026 અને મહારાષ્ટ્રમાં 1 મેથી 15 મે 2026 સુધી સ્વ-ગણતરી કરી શકાશે. જો કે, ગુજરાતમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હોવાથી, વસ્તી ગણતરી માટે ડોર ટુ ડોર્ સર્વેની કામગીરી  20 એપ્રિલથી 19 મી મે સુધી હાથ ધરાનાર હતી તેમાં સંભવત ફેરફાર થઈ શકે છે. જો તમે ગુજરાત માટે નિર્ધારિત તારીખ પહેલા સ્વ-ગણતરી માટે https://se.census.gov.in પર SE પોર્ટલની મુલાકાત લેશો તો તમને એવુ કહેવામાં આવશે કે ગુજરાતમાં સ્વગણતરીની કાર્યવાહી માટેની તારીખમાં લોગઈન કરો.

સ્વ-ગણતરી કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા:

  • https://se.census.gov.in પર SE પોર્ટલની મુલાકાત લો
  • તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો
  • નકશા પર તમારું સ્થાન ચિહ્નિત કરો
  • તમારા પરિવારની વિગતો ભરો
  • માહિતી સબમિટ કરો
  • તમારું SE ID મેળવો
  • ગણતરીકર્તાને SE ID પ્રદાન કરો

ડેટા સંપૂર્ણપણે ડિજિટલ અને સુરક્ષિત રહેશે

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીના આ વિશાળ અને ભગીરથ કાર્ય માટે રૂપિયા 11,718.24 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. વસ્તી ગણતરી માટે તહેનાત 3.1 મિલિયનથી વધુ કર્મચારીઓ, મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરશે અને તેને સીધા જ સર્વરરૂમમાં સબમિટ કરશે. ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી દરેક નાગરિકની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે.

Breaking News : ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી BJP ડરી, AAPના કાર્યકરો-હોદેદારોને જેલોમાં પૂરીને, ગુજરાત સરકાર જેલભરો આંદોલન ચલાવે છે

Follow Us
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
g clip-path="url(#clip0_868_265)">