AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં બહારના કેટલા લોકોએ જમીન ખરીદી ? લોકસભામાં ગૃહ મંત્રાલયે આપી આ માહિતી

ગૃહ મંત્રાલયે લોકસભામાં વિગત આપી છે કે કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરની બહારના લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપત્તિ ખરીદી છે. સાઉદી અરેબિયાની કંપનીઓ પણ કાશ્મીરમાં મોટુ મૂડીરોકાણ કરી રહી છે.

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં બહારના કેટલા લોકોએ જમીન ખરીદી ? લોકસભામાં ગૃહ મંત્રાલયે આપી આ માહિતી
Land in Jammu and Kashmir (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 2:43 PM
Share

ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) લોકસભામાં (Lok Sabha) માહિતી આપી છે કે કલમ 370 (Article 370) નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરની બહારના 34 લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપત્તિ ખરીદી છે. આ મિલકતો કેન્દ્રશાસિત પ્રદેશના જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં આવેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370, 35A લાગુ હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીર સિવાય અન્ય કોઈપણ રાજ્યનો રહેવાસી ત્યાં જમીન ખરીદી શકતો ન હતો. પરંતુ જ્યારથી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે અને કલમ 370 હટાવવામાં આવી છે, ત્યારથી કોઈપણ પ્રદેશના રહીશ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે.

5 ઓગસ્ટ, 2019 ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ અધિકારો મળ્યા હતા. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ અને અલગ બંધારણ અમલમાં હતું. સંરક્ષણ, વિદેશ અને સંદેશાવ્યવહારની બાબત સિવાયના તમામ કાયદાઓ બનાવવા માટે રાજ્યની પરવાનગી જરૂરી હતી. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હતી અને અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા ન હતા.

સાઉદી અરેબિયાની ત્રણ કંપનીઓ ભારે રોકાણ કરી રહી છે

ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ રંજન પ્રકાશ ઠાકુરે સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના બદલાયેલા વાતાવરણમાં સાઉદીની ત્રણ કંપનીઓ અહીં ભારે રોકાણ કરી રહી છે. આ પૈકી, MR ગ્રુપ જમ્મુમાં એક્ઝિબિશન ગ્રાઉન્ડ અને શ્રીનગરમાં બદામીબાગ પાસે બે IT ટાવર બનાવશે. તેમાં તમામ પ્રકારની કંપનીઓ હશે.

કલમ 370 હટાવ્યા બાદ 890 કેન્દ્રીય કાયદા લાગુ કરવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો સ્થાપવા માટે જમીનની ફાળવણી પર જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ માટે એફિડેવિટ આપવી પડશે. જમીનની ફાળવણી મેરિટ કમ ચોઇસના આધારે કરવામાં આવે છે. હવે જમીન ફાળવણી બાદ ત્યાં જે તે હેતુ માટે લીધેલ જમીનમાં જે તે ચીજવસ્તુનુ ઉત્પાદન કરવું પડશે. જે હેતુ માટે જમીન લેવામાં આવી છે તે પરિપૂર્ણ ન થાય તો ફાળવણી રદ કરવામાં આવશે. જમીનના ઉપયોગના નિયમોમાં ફેરફારથી ઉદ્યોગો સ્થાપવાનો માર્ગ મોકળો થયો છે. જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બે અઠવાડિયા પહેલા લોકસભામાં માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અત્યાર સુધી ત્યાં 890 કેન્દ્રીય કાયદા લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

જ્યારે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી શકે છે તો ભાજપ શુ ચીજ છે ? પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પર અશોક ગેહલોતે વ્યક્ત કરી પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ

UPSC 2016ની ટોપર ટીના ડાબીએ બીજા લગ્નની કરી જાહેરાત, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયુ #TinaDabi

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">