કોમ્યુનિસ્ટો ભારત છોડો… JNUની દિવાલ પર હિન્દુ રક્ષા દળે લખ્યા ભડકાઉ સૂત્રો

જેએનયુના (JNU Campus) કુલપતિ શાંતિશ્રી ડી. પંડિતે શુક્રવારે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવા અપીલ કરી હતી. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય. જ્યાં જેએનયુના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંગઠનોએ શુક્રવારે વિશ્વવિદ્યાલય પ્રશાસનને પરિસરમાં શાંતિ જાળવવા માટે મામલાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી હતી.

કોમ્યુનિસ્ટો ભારત છોડો... JNUની દિવાલ પર હિન્દુ રક્ષા દળે લખ્યા ભડકાઉ સૂત્રો
JNU-CampusImage Credit source: TV9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 6:11 PM

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કેમ્પસની અંદરની દિવાલો પર બ્રાહ્મણ, વાણિયા વિરોધી સૂત્રો લખેલા જોવા મળ્યાના એક દિવસ બાદ હિન્દુ રક્ષા દળના કાર્યકર્તાઓ જેએનયુ કેમ્પસના મેઈન ગેટ પાસેની દિવાલ પર સ્પ્રે પેઈન્ટથી કોમ્યુનિસ્ટો ભારત છોડો – જેહાદીઓ ભારત છોડો ના નારા લખ્યા. હિન્દુ રક્ષા દળના પ્રમુખ પિંકી ચૌધરીએ જવાબદારી લીધી અને કહ્યું કે જેએનયુમાં જે વિરોધી સૂત્રોની ઘટના બની છે તે તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. હાલમાં ઉતાવળમાં જેએનયુની દિવાલ પર સફેદ કલર કરવામાં આવી રહ્યો છે, જ્યાં કોમ્યુનિસ્ટો વિરોધી નારા લખવામાં આવ્યા હતા.

આ દરમિયાન જેએનયુની દિવાલો પર જાતિસૂચક સૂત્રો લખવામાં આવ્યા બાદ થયેલા હંગામાને લઈને યુનિવર્સિટી પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. જ્યાં જેએનયુ પ્રશાસને શુક્રવારે તેના તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો. આ સિવાય જેએનયુ પ્રશાસને એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું હતું કે તમામ શાળાઓ અને કેન્દ્રોમાં ફક્ત એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો હશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવા માટે કરી અપીલ

જેએનયુ પરિસરમાં અનેક ઈમારતોને બ્રાહ્મણ વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિકૃત કર્યાના એક દિવસ બાદ કુલપતિ શાંતિશ્રી ડી. પંડિતે શુક્રવારે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવા માટે અપીલ કરી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં આવે. જેએનયુના રજિસ્ટ્રાર રવિકેશે કહ્યું હતું કે કુલપતિ પંડિતે શુક્રવારે એસઆઈએસ-1 અને એસઆઈએસ-2ની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

આ દરમિયાન કુલપતિએ વિદ્યાર્થીઓ, કર્મચારી અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો અને તેમને સતર્ક રહેવા માટે કહ્યું જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં આવી શકે. જ્યાં જેએનયુના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંગઠનોએ શુક્રવારે વિશ્વવિદ્યાલય પ્રશાસનને પરિસરમાં શાંતિ જાળવવા માટે મામલાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી હતી.

બ્રાહ્મણ કેમ્પસ છોડો, અહીં ખૂન થશે, લખવામાં આવ્યા ભડકાઉ સૂત્રો

આ પહેલા વિદ્યાર્થીઓએ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-દ્વિતીય બિલ્ડિંગની દિવાલો પર બ્રાહ્મણ અને વાણિયા સમુદાયો વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા હતા, તેમને તોડી પાડવાનો દાવો કર્યો હતો. આ નારાઓમાં બ્રાહ્મણ અને વાણિયા સમુદાયના સભ્યોને યુનિવર્સિટી અને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. જેએનયુની મહિલા પ્રોફેસરની કેબિનના દરવાજા પર કેટલાક સૂત્રોચ્ચાર છે કે બ્રાહ્મણ કેમ્પસ છોડો, અહીં ખૂન થશે, બ્રાહ્મણ ભારત છોડો અને બ્રાહ્મણ-વાણિયા, અમે તમારા માટે આવી રહ્યા છીએ! અમે બદલો લઈશું.

જાતિસૂચક નારા પર જેએનયુએ જાહેર કરી એડવાઈઝરી

જેએનયુ પ્રશાસનનું કહેવું છે કે પરિસરમાં વર્તમાન સુરક્ષા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જ્યાં એવું કહેવામાં આવ્યું છે કે તમામ ફ્લોર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ સાથે કેમ્પસમાં ‘સાર્વજનિક સંપત્તિ’ને નુકસાન ન થવું જોઈએ. આવા ચેતવણી વાળા બોર્ડ તમામ શાળાઓ અને કેન્દ્રોની બિલ્ડિંગમાં યોગ્ય સ્થળોએ લગાવવામાં આવશે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">