AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab Controversy : શુ કર્ણાટક સરકાર બદલશે પોતાનો આદેશ ?, CM બોમ્મઈ આજે મંત્રીઓ સાથે કરશે બેઠક

ગુરુવારે કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ શિક્ષણ પ્રધાન બીસી નાગેશને મળ્યું હતુ અને આ આદેશને પાછો ખેંચવા તેણે માંગ કરી હતી.

Hijab Controversy : શુ કર્ણાટક સરકાર બદલશે પોતાનો આદેશ ?, CM બોમ્મઈ આજે મંત્રીઓ સાથે કરશે બેઠક
Hijab Controversy in Karnataka (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 4:14 PM
Share

Hijab Controversy: કર્ણાટકમાં ભાજપ સરકાર(BJP Government)  દ્વારા 5 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા તેના આદેશમાં ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજોમાં હિજાબ(Hijab)  પર ધર્મની સ્વતંત્રતા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.

HC એ વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો

સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં સુધારાની વિચારણા કરવામાં આવી રહી છે, પરંતુ કર્ણાટક હાઈકોર્ટમાં (Karnataka Highcourt)  તેને પડકારવામાં આવ્યો હોવાથી તે તુરંત શક્ય નહીં બને. હાઈકોર્ટે ગયા અઠવાડિયે હિજાબ વિવાદ અંગે દાખલ કરાયેલી અરજીઓની પેન્ડન્સીને પેન્ડીંગ રાખવા માટે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો.

બાસવરાજ બોમ્મઈની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ,શુક્રવારે મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક યોજાવાની છે અને આ કેસમાં સુનાવણી ફરી શરૂ થાય તે પહેલા હિજાબ મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે. ભાજપ સરકાર 5 ફેબ્રુઆરીના પોતાના આદેશને પાછી ખેંચી લેવા માટે હાલ હેઠળ છે, જેણે પૂર્વ-યુનિવર્સિટી કોલેજોમાં હિજાબ પરના પ્રતિબંધને કાયદેસર બનાવ્યો હતો કારણ કે ધર્મની સ્વતંત્રતા જાહેર વ્યવસ્થાને આધીન છે અને હિજાબ પહેરવાથી જાહેર વ્યવસ્થામાં ખલેલ પડે છે.

કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ શિક્ષણ મંત્રી બીસી નાગેશને મળ્યું

કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે શિક્ષણ પ્રધાન બીસી નાગેશને મળ્યુ હતુ અને આ આદેશને પાછો ખેંચવાની માંગ કરી હતી. CM બોમ્મઈએ ઈ કાલે કહ્યું હતું કે,ડિગ્રી કૉલેજો પર સમાન નિયમ લાગુ પડતો નથી, જ્યારે ઉચ્ચ શિક્ષણપ્રધાન અશ્વથનારાયણે કહ્યું હતું કે તે ડિગ્રી કૉલેજોને લાગુ પડતો નથી. તેમ છતાં પોલીસે વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશતા અટકાવ્યા છે.

કર્ણાટકમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, સલીમ અહેમદે કહ્યુ કે, જો આ આદેશ ચાલુ રહેશે તો મોટા પાયે અમારે વિરોધ કરવો પડશે.અમે મંત્રીને એ પણ જણાવ્યું કે રાજ્યમાં ઘણા અધિકારીઓ દ્વારા હાઈકોર્ટના આદેશનો ખોટી રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. 5 ફેબ્રુઆરી પહેલા જે સ્થિતિ હતી તે જ ચાલુ રાખવી જોઈએ અને  મુસ્લિમ છોકરીઓને શાળા-કોલેજોમાં હિજાબ સાથે જવાની છુટ આપવી જોઈએ.

આ પણ વાંચો: Indian Railway: ટ્રેનમાં લગાવેલા પંખા ક્યારેય ચોરાઈ શકતા નથી, તેની પાછળનું જાણો આ મોટું કારણ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">