હિજાબ વિવાદ : હાઈકોર્ટમાં આજે પણ કોઈ નક્કર ઉકેલ ન આવ્યો, કાલે કર્ણાટક HCમાં થશે સુનાવણી

કર્ણાટક હાઈકોર્ટે સામાજિક કાર્યકરનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ રહમતુલ્લા કોટવાલને કહ્યુ કે, તમે આટલા મહત્વપૂર્ણ મામલામાં કોર્ટનો કિંમતી સમય બગાડો છો.

હિજાબ વિવાદ : હાઈકોર્ટમાં આજે પણ કોઈ નક્કર ઉકેલ ન આવ્યો, કાલે કર્ણાટક HCમાં થશે સુનાવણી
Hijab Controversy in Karnataka (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:23 PM

Hijab Controversy in Karnataka : હિજાબ વિવાદ (Hijab Controversy) પર કર્ણાટક હાઈકોર્ટમાં (Karnataka High Court) આજે સુનાવણી પૂરી થઈ ગઈ છે. આજે પણ હાઈકોર્ટમાં આ મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. સુનાવણી દરમિયાન,  હાઈકોર્ટે સામાજિક કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાંથી એકને ફગાવી દીધી હતી. કર્ણાટક હાઈકોર્ટે સામાજિક કાર્યકરનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ રહમતુલ્લા કોટવાલને કહ્યું કે, તમે આટલા મહત્વપૂર્ણ મામલામાં કોર્ટનો કિંમતી સમય બગાડો છો.

આ વિવાદ મુસ્લિમ છોકરીઓના માનસ પર અસર કરી રહ્યો છે

બીજી તરફ અરજદારના વકીલ વિનોદ કુલકર્ણીએ (Vinod Kulkarni) કોર્ટમાં કહ્યુ કે, ‘આ મુદ્દો ઉન્માદ પેદા કરી રહ્યો છે અને મુસ્લિમ છોકરીઓના માનસિક સ્વાસ્થ્યને (Mental Health) અસર કરી રહ્યો છે.’ તેમજ કુલકર્ણીએ કોર્ટને શુક્રવાર સુધી મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાની વચગાળાની પરવાનગી આપવા જણાવ્યુ હતુ.

5 વિદ્યાર્થિનીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ.એમ. ડારે કોર્ટમાં કહ્યું કે, હિજાબ પર સરકારના આદેશની (Karnataka Govt) અસર તેમના ક્લાયન્ટ્સ પર પડશે જેઓ હિજાબ પહેરે છે. તેમણે વધુમાં કહ્યું કે આ આદેશ ગેરબંધારણીય છે. કોર્ટે ડારને તેમની હાલની અરજી પાછી ખેંચી લેવા અને નવી અરજી દાખલ કરવા જણાવ્યુ હતુ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બુધવારે હાઈકોર્ટમાં આ દલીલો કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે, બુધવારે અરજીકર્તાના વકીલ વતી તમામ દલીલો આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેંચ સમક્ષ વરિષ્ઠ વકીલ પ્રોફેસર રવિવર્મા કુમારે કહ્યું હતું કે શા માટે સરકાર એકલી હિજાબનો મુદ્દો બનાવી રહી છે. બંગડીઓ પહેરેલી હિંદુ છોકરીઓ અને ક્રોસ પહેરેલી ખ્રિસ્તી છોકરીઓને શાળામાંથી કેમ બહાર કાઢવામાં આવતી નથી.

આવો ભેદભાવ શા માટે ?

કુમારે વધુમાં કહ્યું કે દેશમાં કાનની બુટ્ટી, ક્રોસ, હિજાબ, બુરખો, બંગડીઓ અને પાઘડી પહેરવામાં આવે છે. મહિલાઓ કપાળ પર બિંદી પણ લગાવે છે. પરંતુ સરકારે આમાંથી માત્ર હિજાબ પસંદ કર્યો અને તેના પર પ્રતિબંધ મૂક્યો, આવો ભેદભાવ શા માટે ?

આ પણ વાંચો : Maharashtra: બોમ્બે હાઈકોર્ટે કહ્યું ‘પહેલી પત્નીના મૃત્યુ બાદ બીજી પત્નીને પેન્શન ન મળે’, જાણો શું છે મામલો

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">