AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMD Alert: ઓડિશા-આંધ્રપ્રદેશ પર આવશે ચક્રવાતી તોફાન, ઉત્તર પૂર્વથી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગના ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 4 ડિસેમ્બરે ઓડિશામાં કેટલાક સ્થળોએ અને 5 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળમાં ઘણા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

IMD Alert: ઓડિશા-આંધ્રપ્રદેશ પર આવશે ચક્રવાતી તોફાન, ઉત્તર પૂર્વથી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
IMD Alert
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:21 PM
Share

દેશના પૂર્વોત્તર રાજ્યોથી લઈને દક્ષિણના રાજ્યોમાં હવામાન બદલાવાનું છે. આસામ, મેઘાલય જેવા પૂર્વોત્તર રાજ્યોમાં આ સપ્તાહના અંત સુધી ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બદલાતા હવામાનને જોતા ઓડિશા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતોને (Farmers) પાક સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે રાજ્યના લોકો હજુ પણ પરેશાન છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 4 ડિસેમ્બરે ઓડિશામાં કેટલાક સ્થળોએ અને 5 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળમાં ઘણા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ (Rainfall) પડશે. તેમણે કહ્યું કે 5 અને 6 ડિસેમ્બરે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર જેવા પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, દક્ષિણ થાઈલેન્ડ અને તેની નજીકના આંદામાન સમુદ્ર પર નીચા દબાણનું ક્ષેત્ર આજે 12 કલાકમાં આંદામાન ઉપર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ વિસ્તાર 2 ડિસેમ્બર સુધીમાં દબાણ ક્ષેત્રમાં ફેરવાઈ જશે. ત્યારબાદ 3 ડિસેમ્બર સુધીમાં, આ વિસ્તાર ઇન્ટ્રાસાયકલ વાવાઝોડામાં (Intracycle Storm) ફેરવાઈને વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

હવામાન વિભાગના મહાનિર્દેશકે કહ્યું કે, અમે માછીમારોને 2 ડિસેમ્બરથી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત, ઉત્તર આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ખેડૂતોને તેમના લણેલા ઉભા પાકને સાચવવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે વાવાઝોડું પાકને નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદના કારણે આવેલા પૂરને કારણે લોકો પરેશાન, સીએમ સ્ટાલિન અસરગ્રસ્તોને મળ્યા ચેન્નાઈ અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદને કારણે આવેલા પૂરને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંગળવારે મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત લોકોને સહાયનું વિતરણ કર્યું. સત્તાવાળાઓએ પંપનો ઉપયોગ કરીને પૂરના પાણીને બહાર કાઢવાનું કામ કર્યું હોવા છતાં શહેર અને ઉપનગરીય સબવેનો એક ભાગ ટ્રાફિક માટે બંધ રહ્યો હતો. જેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે.

આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજ્યસભામાં નિવેદન – સરકાર ટૂંક સમયમાં રજૂ કરશે ક્રિપ્ટોકરન્સી બિલ

આ પણ વાંચો : UP Election 2022: યુપી ચૂંટણી માટે 2 ડિસેમ્બરે સહારનપુરમાં બૂથ પ્રમુખની શાળા, અમિત શાહ આપશે વિજય મંત્ર

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">