AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે મંગળવારે રાજ્યો સાથે આરોગ્ય મંત્રાલયની બેઠક, 3 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન

Vaccination of 15-18 year Age Group: 10 જાન્યુઆરીથી, આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન વર્કર તેમજ અન્ય ગંભીર રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ડોકટરોની સલાહ પર વધારાનો ડોઝ આપવામાં આવશે.

15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે મંગળવારે રાજ્યો સાથે આરોગ્ય મંત્રાલયની બેઠક, 3 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન
Union Health Secretary Rajesh Bhushan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 11:41 PM
Share

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મંગળવારે રાજ્ય સરકારો સાથે 15થી 18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ અને આરોગ્ય સંભાળ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને અમુક રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશનના ડોઝ (Precaution Dose) આપવા અંગે બેઠક કરશે. આ દરમિયાન રાજ્યોના મુખ્ય સચિવો અને તબીબી અધિકારીઓને રસીકરણ અંગે સૂચનાઓ આપી શકાય છે. આ બેઠક કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Union Health Secretary Rajesh Bhushan)ની અધ્યક્ષતામાં સવારે 11.30 કલાકે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ શનિવારે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. તે જ સમયે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે અન્ય ગંભીર રોગોથી પીડિત આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન કાર્યકરોને ડોકટરોની સલાહ પર વધારાનો ડોઝ આપવામાં આવશે.

શનિવારે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે. વડાપ્રધાને કહ્યું કે આજે ભારતની પુખ્ત વસ્તીના 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને રસીનો એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી હતી

1) વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે આવનારા વર્ષ 2022માં 3 જાન્યુઆરીથી દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

2) તેમણે કહ્યું આપણા ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ રોગચાળા સામેની આપણી લડાઈમાં મોટી ભૂમિકા ભજવી છે. સરકારે આમ એ પણ નક્કી કર્યું છે કે આપણે 10મી જાન્યુઆરી, 2022થી આરોગ્ય કર્મચારીઓ માટે Precaution Dose પ્રારંભ કરીશું.

3) 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો કો-મોર્બિડ હોય તેમને પણ ડૉક્ટરની સલાહ પર Precaution Doseનો વિકલ્પ મળશે. આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: James Webb Telescope: ઉજાગર કરશે બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યો, જાણો NASA ના શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ વિશે

આ પણ વાંચો: Year Ender 2021: દેશભરમાં ઘટેલી 2021ની મહત્વની ધાર્મિક ઘટનાઓ પર એક નજર

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">