AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક યોજી, કહ્યું દેશમાં રસીની કોઈ અછત નથી

રાજ્યોમાં જરૂરી વેક્સિનની આપૂર્તિનો આશ્વાસન આપતા જણાવ્યું કે, દેશમાં રસીની કોઈ અછત નથી. કોવિડ રસીકરણ એ આપણું 'રક્ષણાત્મક કવચ' છે.

Corona Vaccination: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક યોજી, કહ્યું દેશમાં રસીની કોઈ અછત નથી
Health Minister Mansukh Mandaviya (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 4:14 PM
Share

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા (Health Minister Mansukh Mandaviya)એ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના ‘હર ઘર દસ્તક’ અભિયાનને મજબુત કરવા પર ચર્ચા કરી હતી. તમામ સ્વાસ્થ્ય મંત્રીઓને સામૂહિક પ્રયત્નો માટે આગ્રહ કર્યો અને એ પણ કહ્યું કે કોઈ પણ નાગરિક કોવિડ-19 રસીથી વંચિત ન રહે. સાથે જ રાજ્યોમાં જરૂરી વેક્સિનની આપૂર્તિનો આશ્વાસન આપતા જણાવ્યું કે, દેશમાં રસીની કોઈ અછત નથી. કોવિડ રસીકરણ એ આપણું ‘રક્ષણાત્મક કવચ’ છે.

આ મહિને શરૂ થયું હતું અભિયાન

કોરોના વેક્સિનેશન (Corona Vaccination)ની ઝડપમાં ઘટાડોને ધ્યાને લેતા કેન્દ્ર સરકારે ગત મહિને જાહેરાત કરી હતી કે, નવેમ્બરની શરૂઆતથી ઘર-ઘર વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ અનેક જિલ્લા પર ફોકસ કરવાની વાત કહેવામાં આવી હતી. જ્યાં વેક્સિનેશન ઓછુ થયું છે ત્યાં અભિયાનને ‘હર ઘર દસ્તક’ નામ આપવામાં આવ્યું. જેનો હેતુ લોકોને ઘાતક વાયરસથી બચાવા અને ફુલી વેક્સિનેટેડ માટે પ્રેરિત કરવાનો છે.

આ અભિયાન 2 નવેમ્બરના રોજ શરૂ થયું હતું અને પ્રથમ ફોકસ દેશના તે 48 જિલ્લાઓ પર હતું, જ્યાં પ્રથમ રસી લેનારા લોકોની સંખ્યા 50 ટકાથી ઓછી છે. કેન્દ્ર સરકારે લક્ષ્ય રાખ્યું છે કે નવેમ્બરના અંત સુધીમાં દેશભરના તમામ પાત્ર લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી જાય.

109 કરોડથી વધુ રસીકરણ

દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 109.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ડેટા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક ચેપ દર 0.90 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો છે.

તે જ સમયે, સાપ્તાહિક ચેપ દર 1.20 ટકા છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,87,047 લોકો ચેપ મુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 11,466 નવા કેસ નોંધાયા છે જ્યારે 460 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા

આ પણ વાંચો: Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">