Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા જશે રાજ્યસભામાં, આમ આદમી પાર્ટીએ સંદીપ પાઠકના નામ પર પણ લગાવી મહોર

પંજાબની 5 રાજ્યસભા બેઠકો માટે આજે છેલ્લો દિવસ છે, પંજાબમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે, 5 સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. એવા પણ સમાચાર છે કે અશોક મિત્તલ પણ પંજાબથી રાજ્યસભામાં જઈ શકે છે.

હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા જશે રાજ્યસભામાં, આમ આદમી પાર્ટીએ સંદીપ પાઠકના નામ પર પણ લગાવી મહોર
Harbhajan Singh ,Raghav Chaddha make way towards Rajyasabha , Aam Adami Party's Sandeep Pathak also finalized for the same
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 11:25 AM

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ડૉ. સંદીપ પાઠક, ક્રિકેટર હરભજન સિંહ (Harbhajan Singh) અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા (MLA Raghav Chadha)ને પંજાબથી રાજ્યસભા માટે નામાંકિત કરશે. સંદીપ પાઠકની વાત કરીએ તો પંજાબમાં પાર્ટીની જીતમાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. પંજાબમાં સતત ત્રણ વર્ષ રહીને તેમણે બૂથ લેવલ સુધી સંગઠન બનાવ્યું છે. તેઓ IITમાં ભૌતિકશાસ્ત્રના જાણીતા પ્રોફેસર છે. તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનના નજીકના માનવામાં આવે છે. AAPએ પણ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાનો મૂડ બનાવી લીધો છે.

તે જ સમયે પંજાબની 5 રાજ્યસભા બેઠકો માટે આજે છેલ્લો દિવસ છે, પંજાબમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે, 5 સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. એવા પણ સમાચાર છે કે અશોક મિત્તલ પણ પંજાબથી રાજ્યસભામાં જઈ શકે છે. આમ આદમી પાર્ટીએ તેમના નામ પર મહોર મારી દીધી છે. તેઓ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક છે. મિત્તલ શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના કામ માટે જાણીતા છે.

CM ભગવંત માનની પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની (Bhagwant Mann) પ્રથમ કેબિનેટ બેઠક ચંદીગઢમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવંત માન કેબિનેટે 25,000 પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી આપી છે. પંજાબના બોર્ડ, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. કેબિનેટે ત્રણ મહિનાનો વોટ ઓન એકાઉન્ટ (ત્રણ મહિના માટે સરકારના ખર્ચનું બજેટ) લેવાનો નિર્ણય કર્યો છે. જૂન મહિનામાં બજેટ (Budget) રજૂ કરવામાં આવશે. કેબિનેટે પૂરક અનુદાનને પણ મંજૂરી આપી છે.

Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?
ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?

અગાઉ, મુખ્યપ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની કેબિનેટમાં એક મહિલા સહિત 10 આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પંજાબ ભવનમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ 10 મંત્રીઓમાંથી 8 પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તમામે પંજાબી ભાષામાં શપથ લીધા હતા.

આ પણ વાંચો: Rajasthan News: પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમી-પ્રેમિકા આત્મહત્યા કરવા પુલ પર પહોંચ્યા, હાઈવોલ્ટેજ ડ્રામામાં માલગાડી રોકાયેલી રહી

આ પણ વાંચો: Jammu Tawi Places: જમ્મુ તાવીમાં ઘણા પ્રવાસન સ્થળો છે, જેની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ

g clip-path="url(#clip0_868_265)">