3 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદમાં CGST ઇન્સ્પેકટર 10 હજારની લાંચ લેતા ઝડપાયો
આજ 03 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
પાવાગઢમાં પ્રથમ નોરતે માઇ ભક્તોનું ઘોડાપૂર
પાવાગઢમાં પ્રથમ નોરતે માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. વહેલી સવારથીજ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામી છે. મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા. પ્રથમ નોરતે સવારે 4 વાગ્યાથી મંદિરનાં દ્વાર ખુલ્યા છે.
-
અમદાવાદ: C.G.S.T ઇન્સ્પેકટર 10 હજારની લાંચ લેતા પકડાયો
અમદાવાદ: C.G.S.T ઇન્સ્પેકટર 10 હજારની લાંચ લેતા પકડાયો. ક્લાસ 2 ઓફિસર ઘનશ્યામ ધોલપુરીયાએ લાંચ લીધી હતી. એન્કલોઝમેન્ટ નંબર આપવા માટે લાંચ માંગી હતી. ફરિયાદી હાઉસ કિંપીગ એજન્સી ચલાવે છે. ફરિયાદીએ સર્વિસ ટેક્સ ન ભરતા નોટિસ અપાઇ હતી અને સી.જી.એસ. ટી વિભાગ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયુ હતું. બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં ફરીયાદી અપીલમાં ગયો હતો. ફરિયાદીને એન્કલોઝમેન્ટ નંબર મળે તો બેંક એકાઉન્ટ અન્ફ્રીઝ થાય તેમ હતુ. ઘનશ્યામ ધોલપુરીયાએ ફરીયાદીને એન્કલોઝમેન્ટ નંબર આપવા લાંચ માંગી હતી.
-
-
અમદાવાદ: બજરંગદળ દ્વારા શરૂ કરાઈ હેલ્પલાઈન
અમદાવાદ: બજરંગદળ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ છે. ખાસ બહેનોની મદદ માટે ‘મેરા ભાઈ’ નામની હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. મુસીબતમાં મુકાયેલી બહેનો સંપર્ક કરશે તો 10 મિનિટમાં મદદ માટે પહોંચવાનોનો બજરંગદળનો દાવો છે. છેડતી કે અન્ય મુસીબતના સંજોગોમાં બહેનો સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર-8735873595 જાહેર કરવામાં આવ્યો છે.
-
વિવિધ દેવી સ્થાનકોમાં ભક્તોનો ધસારો
આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ એવી નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે પ્રથમ નોરતું છે. ત્યારે પ્રસિદ્ધ વૈષ્ણોદેવી ધામમાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતા વૈષ્ણોદેવીના દરબારમાં નત મસ્તક થવા પહોંચી રહ્યા છે. નવરાત્રી હોવાથી મંદિર પરિસર અદભુત શણગારથી શોભી રહ્યું છે. તો બીજી તરફ માના જયઘોષથી વાતાવરણ ગુંજી રહ્યું છે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન કરાયું છે. તો સાથે જ સુરક્ષાને ધ્યાનમાં લઈને ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે.
-
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે.સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે. રાત્રે 8:45 કલાકે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અમિત શાહ ઉપસ્થિત રહેશે અને વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ કરાવશે.
-
-
ભાવનગરમાંથી ફરી ઝડપાયો નશીલો સામાન
ભાવનગરમાંથી ફરી એક વખત નશીલી સીરપનો જથ્થો ઝડપાયો છે. ભાવનગર SOGએ બાતમીના આધારે કૈલાશ સોસાયટીમાં રહેતા ભાવેશ ઉર્ફે રમેશ મકવાણાના ઘરે તપાસ હાથ ધરી. જે દરમિયાન કોડેઇન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સીરપની 919 બોટલો મળી આવી. પોલીસે કુલ 1.41 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ NDPS એક્ટની જોગવાઇ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સીરપના નામે નશાની બોટલો વેચવાનો વેપાર કરતો હતો. આરોપીની પૂછપરછમાં તેમણે અન્ય એક શખ્સ કમલેશ યાદવ પાસેથી સીરપની બોટલો લીધી હોવાનું જણાવતા પોલીસે હવે અન્ય આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદમાં મોટા ગરબાના આયોજન સામે સવાલ ઊભા થયા છે. ફાયર NOC ન હોવાથી પોલીસે એક પણ આયોજનને મંજૂરી નથી આપી. અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે. રાત્રે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવશે. દાહોદના દેવગઢબારીયામાંથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપાયો છે. 25 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરાયો છે. કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો. દિલ્લીમાં નશાનું જંગી કન્સાઇન્મેન્ટ ઝડપાયું છે. પોલીસે 5 હજાર કરોડ રૂપિયાનો કોકોઇનનો જથ્થો જપ્ત કર્યો. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પોતાની નવી રાજકીય પાર્ટી શરૂ કરી. નવી પાર્ટીનું નામ જન સૂરાજ રાખવામાં આવ્યુ. ઇઝરાયલે લેબનોન પર ફરી ભીષણ હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુએ ઇઝરાયલના સુરક્ષા વડાઓ સાથે બેઠક કરી. ઇરાનના તેલ ભંડાર પર ત્રાટકવાની તૈયારી છે.