AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waqf Board: દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પાછી લેશે સરકાર, કેન્દ્રએ ફટકારી નોટિસ

કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડને એક પત્ર જાહેર કરીને દિલ્હીની આ 123 મિલકતો સાથે સંબંધિત દસ્તાવેજો બતાવવા માટે કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરશે.

Waqf Board: દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પાછી લેશે સરકાર, કેન્દ્રએ ફટકારી નોટિસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 7:19 AM
Share

Delhi: કેન્દ્ર સરકારે દિલ્હીમાં વકફ બોર્ડની 123 મહત્વની મિલકતો પરત લેવા માટે નોટિસ આપી છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ નોટિસમાં દિલ્હી(Delhi)ની જામા મસ્જિદનું નામ પણ સામેલ છે. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી. જામા મસ્જિદ ઉપરાંત, ઘણા કબ્રસ્તાન, દરગાહ અને મસ્જિદો પણ 123 મિલકતોમાં સામેલ છે જેના માટે સરકારે નોટિસ જાહેર કરી છે.

આ પણ વાંચો: મસ્જિદો પરના લાઉડ સ્પીકર પર વાગતી અજાનના કેસની આવતીકાલે હાથ ધરાશે સુનાવણી

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં તેઓ આ મુદ્દે સરકારનો પક્ષ પણ રજૂ કરી શકે છે. મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જામા મસ્જિદની સાથે-સાથે દિલ્હીના પંડારા રોડ પર સ્થિત બાબરી મસ્જિદ સહિત અન્ય ઘણી મહત્વની સંપત્તિઓનો પણ સમાવેશ થાય છે.

વક્ફ બોર્ડની મિલકતો હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે

મહત્વનું છે કે, આ વર્ષની શરૂઆતમાં, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જમીન અને વિકાસ કાર્યાલયે બે સમિતિઓના અહેવાલના આધારે વકફ બોર્ડની 123 મિલકતો પોતાના હાથ પર લેવાનો નિર્ણય લીધો હતો. જો કે, તત્કાલીન દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર વક્ફ બોર્ડની મિલકતો હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ગેરકાયદે બાંધકામ કરનારા લોકોને પ્રવેશ આપવાનો પ્રયાસ કરી રહી છે.

દાવા માટે દસ્તાવેજો બતાવવાના રહેશે

સરકારે વક્ફ બોર્ડને કહ્યું છે કે જો તે 123 મિલકતોમાંથી કોઈપણ પર દાવો કરવા માંગે છે, તો તેમણે સંબંધિત દસ્તાવેજો બતાવવા પડશે. વકફ બોર્ડ પણ એક મિલકતને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું. જો કે, કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો કે વકફ બોર્ડની મિલકત તરીકે કોઈપણ મિલકતની ઓળખ કરતા પહેલા, વકફ એક્ટ હેઠળ સર્વે કરાવવો જરૂરી છે.

ભાવિ પેઢીઓ માટે સાચવી શકાય

વકફ બોર્ડની આ મિલકતોને સરકાર પાસે રાખવા પાછળનું કારણ તેનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવાનું છે. જેથી કરીને આ મિલકતો સમુદાયના કલ્યાણ માટે સરળ બની શકે અને ભાવિ પેઢીઓ માટે સાચવી શકાય.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">