રેમડેસિવિરને લઈને ખુશખબર: હવે દેશમાં નહીં રહે અછત, આ કંપની દરરોજ બનાવશે 30,000 ડોઝ

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જેનટેક લાઇફ સાયન્સીસ (Genetek LifeSciences) 28 એપ્રિલથી મહારાષ્ટ્રના વર્ધામાં કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરશે.

રેમડેસિવિરને લઈને ખુશખબર: હવે દેશમાં નહીં રહે અછત, આ કંપની દરરોજ બનાવશે 30,000 ડોઝ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 28, 2021 | 11:43 AM

દેશમાં કોરોના કેસોમાં વધારો થયા પછી, કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમેડેસિવિરની મોટી તંગી જોવા મળી હતી. પરંતુ હવે દેશમાં કોરોના દવા રેમેડેસિવિરની કોઈ અછત રહેશે નહીં. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જેનટેક લાઇફ સાયન્સીસ (Genetek LifeSciences) આજે 28 એપ્રિલથી મહારાષ્ટ્રના વર્ધામાં કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરશે. મંગળવારે નાગપુરમાં કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરતાં ગડકરીએ કહ્યું કે, કંપની દરરોજ રેમડેસિવિરની 30,000 શીશીઓ તૈયાર કરશે.

દેશમાં કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓ અને લેબ રિપોર્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, અને પુખ્ત દર્દીઓ અને બાળકોમાં રેમડેસિવિરના મર્યાદિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

વર્ધાના જેનટેક લાઇફ સાયન્સિસને રેમેડિસિવર ઈન્જેક્શન બનાવવાનું લાઇસન્સ મળી ગયું છે. ગડકરીએ જણાવ્યું કે હૈદરાબાદથી એક ટીમ વર્ધા પહોંચી છે અને પરીક્ષણ ચાલી રહ્યું છે અને બુધવારથી તેનું ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વિતરણ કરવામાં આવશે

ગડકરીએ કહ્યું કે, આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલ રેમેડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ નાગપુર અને વિદર્ભના અન્ય જિલ્લાઓમાં કરવામાં આવશે. જરૂરિયાત મુજબ તેનું મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ વિતરણ કરવામાં આવશે.

પરિસ્થિતિ ક્યારે સુધરશે

ગડકરીએ નાગપુરમાં ઓક્સિજન સપ્લાયની મરામત માટે લેવામાં આવેલા પગલાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ કેસમાં પરિસ્થિતિ આગામી કેટલાક દિવસોમાં સુધરશે. આ દરમિયાન ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ગડકરી સાથે હાજર હતા.

રેમેડિસવીરની કિંમતોમાં ઘટાડો

કેન્દ્ર સરકારના કહેવા પર રેમેડિસિવર ઇંજેક્શન બનાવતી કંપનીઓએ આ દવાના ભાવમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. કેડિલા હેલ્થ કેર લિમિટેડની દવા રેમડેક જે અગાઉ 2800 માં ઉપલબ્ધ હતી, હવે 899 રૂપિયામાં મળશે. તેવી જ રીતે ડો. રેડ્ડીની મૂર્તિની રેડિક્સ જે 5400 રૂપિયામાં ઉપલબ્ધ હતી તે હવે 2700 રૂપિયામાં મળશે.

આ પણ વાંચો: મિત્રનો જીવ બચાવવા 24 કલાકમાં 1400 Km: ઓક્સિજન લઈને આવેલા મિત્રને જોઈ દર્દી રડી પડ્યો

આ પણ વાંચો: રાહત: દેશમાં પ્રથમ વખત એક દિવસમાં 2.5 લાખ દર્દી કોરોના સામે જંગ જીત્યા, 18 વર્ષથી ઉપરના લોકો માટે આજથી નોંધણી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">