AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહત: દેશમાં પ્રથમ વખત એક દિવસમાં 2.5 લાખ દર્દી કોરોના સામે જંગ જીત્યા, 18 વર્ષથી ઉપરના લોકો માટે આજથી નોંધણી

દેશમાં કોરોનાની સ્થિતિ પર 27 એપ્રિલના આંકડા રાહતના સમાચાર લઈને આવ્યા છે. પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ દિવસમાં 2.5 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો છે.

રાહત: દેશમાં પ્રથમ વખત એક દિવસમાં 2.5 લાખ દર્દી કોરોના સામે જંગ જીત્યા, 18 વર્ષથી ઉપરના લોકો માટે આજથી નોંધણી
કોરોનાને હરાવ્યા બાદ દર્દીની ખુશી (Ranchi, PTI Photo)
| Updated on: Apr 28, 2021 | 10:19 AM
Share

લગભગ એક મહિના પછી કોરોના વાયરસથી રાહત મળતી જોવા મળી રહી છે. દેશમાં પહેલીવાર દિવસમાં 2.5 લાખથી વધુ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. તે જ સમયે, દરરોજ સામે આવતા કેસોમાં પણ થોડો ઘટાડો નોંધાય છે.

જો કે, ગંભીર બાબત એ છે કે એક દિવસમાં ચેપને કારણે 2771 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં ચેપને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આશરે બે લાખ સુધી પહોંચી ગઈ છે. કુલ મૃત્યુ 1,97,894 થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક જ દિવસમાં 3,23,144 સંક્રમિત મળી આવ્યા છે. તે જ સમયે આ દરમિયાન 2,51,827 દર્દીઓ તંદુરસ્ત જાહેર કરાયા હતા. 28 માર્ચથી દેશમાં દરરોજ ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે.

જો કે, પાછલા સોમવારની તુલનામાં, મંગળવારે મળેલા આંકડા કોરોના ગ્રાફમાં થોડો ઘટાડો દર્શાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ બે અઠવાડિયા સુધી સમાન સ્થિતિ પછી, એમ કહી શકાય કે બીજી તરંગ હવે નિયંત્રણ તરફ આગળ વધી રહી છે.

મંત્રાલયે કહ્યું કે છેલ્લા એક દિવસમાં દેશના આઠ રાજ્યોમાં કોરોના વાયરસથી કોઈ દર્દીનું મોત નિપજ્યું નથી. જોકે છેલ્લાં ચાર દિવસથી આ રાજ્યોની સંખ્યા પાંચ હતી, પરંતુ હવે તે આઠ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસનો સક્રિય દર 16.34 ટકા પર પહોંચી ગયો છે. 28,82,204 સક્રિય દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે નોંધણી

દેશમાં 18 થી 44 વર્ષ સુધીના લોકોને 1 મેથી રસી આપવામાં આવશે. આ માટે બુધવારથી કોવિન પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. રસીકરણ કેન્દ્રમાં નોંધણી કરાશે નહીં.

નાગરિકોએ કેન્દ્રમાં નોંધણી બતાવવાની રહેશે, તો જ તેઓ રસી લઇ શકાશે. તે જ સમયે, 45 વર્ષથી ઉપરના લોકોને રસી અપાવવા માટે બંને પ્રકારનાં વિકલ્પો ઉપલબ્ધ રહેશે. તેઓ ઓનલાઇન નોંધણી કર્યા પછી પણ આવી શકે છે અને સીધા કેન્દ્રમાં નોંધણી કરાવી રસી લઈ શકે છે.

ભારતને 1 મે સુધીમાં સ્પુટનિક વીની પ્રથમ બેચ મળી જશે

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) ના સીઈઓ કિરિલ દમિત્રીવે સોમવારે જણાવ્યું હતું કે, ભારતને સ્પુટનિક વીનું પહેલું શિપમેન્ટ 1 મે સુધીમાં મળી જશે. તેમણે કહ્યું કે, ભારત સ્પુટનિકના મહત્વપૂર્ણ ઉત્પાદકોમાંનું એક છે. ભારતીય ડોકટરો આ રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: પોતાનો હોસ્પિટલ બેડ યુવાન દર્દીને આપી દીધો, 85 વર્ષીય RSS સ્વયંસેવકે જીવ આપીને કરી સેવા

આ પણ વાંચો: કોરોના સંકટ વચ્ચે સરકારી કર્મચારીઓને મોટી રાહત, હવે તેઓ જાતે જ પેન્શન વિકલ્પ પસંદ કરી શકશે

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">