“આ તારા પતિનું નહીં દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે, અત્યારે જ આ ઘરની બહાર નીકળ…” ઈંદિરા ગાંધી એ કોને કહ્યુ હતુ આવુ?
મેનકાએ પોતાને સંજય ગાંધીના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કર્યા. સંજયના અધૂરા સપવાને પૂરા કરવાનો સંકલ્પ કર્યો. આ તરફ ઈંદિરા જ્યારે લંડનથી પરત ફર્યા, ત્યારે તેમની પાસે તે સભાની એક-એક મિનિટની રિપોર્ટ અને ભાષણની રેકોર્ડિંગ હતી. તેમના માટે આ બિલકુલ સામાન્ય ઘટના ન હતી. આ એક ખુલ્લંખુલ્લા રાજકીય બગાવત હતી. ઈંદિરા ખૂબ ગુસ્સામાં હતા, તેમણે નક્કી કર્યુ કે હવે સમાધાનની ફોર્મ્યુલા શક્ય નથી. હવે મેનકા સાથે એક છત નીચે રહેવુ તેમના માટે અશક્ય હતુ.

જૂન 1980માં જ્યારે વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અચાનક મૃત્યુ થયું, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માનસિક રીતે ઘણા તૂટી ગયા હતા. સંજય ગાંધી માત્ર તેમના પુત્ર નહોતા પરંતુ સરકારનો અને પાર્ટીનો એક મજબૂત સ્તંભ હતા. તેમના મૃત્યુ પછી એક એવો ખાલીપો સર્જાયો જેને ભરવા માટે ઘરની અંદર જ બે અલગ અલગ વિચારધારાઓ ટકરાવા લાગી. જેમા એક તરફ મેનકા ગાંધી હતી, એ સમયે તેમની ઉમર હતી માત્ર 23 વર્ષ. યુવાન હોવા છતા મેનકા ગાંધી રાજકારણની ઉંડી સમજ હતી. મેનકાને પુરો વિશ્વાસ હત કે સંજયની રાજકીય વિરાસત પર ફક્ત અને ફક્ત તેમનો જ હક્ક છે. મેનકા ગાંધીને લાગતુ હતુ કે સંજયના વફાદા નેતાઓ તેમને પોતાના માર્ગદર્શક માને અને વડાપ્રધાન આવાસમાંથી પોતાની રાજકીય જમીન તૈયાર કરે. તેમને લાગતુ હતુ કે સંજયની મહેનતથી તૈયાર કરાયેલી યુવા કોંગ્રેસ અને તેમની ટીમ પર તેમનો નૈતિક અધિકાર છે. ...
