AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન અંગે યોજાનારી UNSC મિટીંગ પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા

ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને શ્રૃંગલાએ ગત વર્ષે અફઘાનિસ્તા અંગેના અન્ય સત્રમાં ભાગ લીધો હતો. જોકે તેઓ યુએનજીએ (UNGA) દ્વારા યુક્રેનની સ્થિતિ અંગે પ્રતિદ્વંદી મુસદ્દાના પ્રસ્તાવોને લઈને અમુક કલાકો પહેલા જ અમેરિકા પહોંચ્યા.

યુક્રેન અંગે યોજાનારી UNSC મિટીંગ પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા
Foreign Secretary Harsh Vardhan Shringla reached New York to participate in UNSC meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 6:41 PM
Share

યુક્રેન પર રશિયાના (Ukraine Russia War) આક્રમણ બાદ ઉભા થયેલા માનવીય સંકટ અંગે મુસદ્દાના પ્રસ્તાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNSC) અને સુરક્ષા પરિષદમાં મતદાન થવાની સંભાવના વચ્ચે મંગળવારે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા (Harsh Vardhan Shringla) ન્યૂયોર્ક (NewYork) પહોંચ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રૃંગલા બુધવારે સંયુક્ત રાષ્ટ્ર અને અરબ દેશો વચ્ચેની લીગ વચ્ચે સહયોગ અંગેની સુરક્ષા પરિષદની બેઠકમાં સામેલ થશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરૂમૂર્તિએ ટ્વીટ કર્યું, “વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાનું ન્યૂયોર્કમાં સ્વાગત કરીને પ્રસન્નતા થઈ. વિદેશ સચિવ સંયુક્ત રાષ્ટ્ર અને અરબ દેશની લીગ વચ્ચે સહયોગ અંગેની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં સામેલ થશે. ”

ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને શ્રૃંગલાએ ગત વર્ષે અફઘાનિસ્તા અંગેના અન્ય સત્રમાં ભાગ લીધો હતો. જોકે તેઓ યુએનજીએ (UNGA) દ્વારા યુક્રેનની સ્થિતિ અંગે પ્રતિદ્વંદી મુસદ્દાના પ્રસ્તાવોને લઈને અમુક કલાકો પહેલા જ અમેરિકા પહોંચ્યા.

અત્યાર સુધી નવી દિલ્હીએ યુક્રેન પર થયેલા રશિયાના આક્રમણ અંગે સાર્વજનિક ટીકા કરી નથી, પરંતુ યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ પર તેનું વલણ બદલવા માટે વોશિંગટન અને અન્ય પશ્વિમી શક્તિઓના વધી રહેલા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન મામલે ભારતે વારંવાર દુશ્મનાવટને તાત્કાલિક સમાપ્ત કરીને વાતચીતના રસ્તા પર પરત ફરવા આહ્વાન કર્યું છે. તેમાં દરેક રાજ્યોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરવા પર પણ ભાર આપવામાં આવ્યો છે.

યુક્રેન સંકટ અંગે ભારત તેની સ્થિતિ બદલે તેવું દબાણ છે, ત્યારે આ સમયે ન્યૂયોર્કમાં શ્રૃંગલાની ઉપસ્થિતિ મહત્વપૂર્ણ છે. કારણ કે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું, “સંભવિત અપવાદ ભારત સાથે યુક્રેન વિરુદ્ધ રશિયાના આ આક્રમણ સામે નાટો અને ક્વાડનો સંયુક્ત મોરચો ઉભો છે. ”

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદેશ મંત્રાલય જે રીતે પગલાં ભરી રહ્યું છે, તેની પ્રશંસા આખી દુનિયા કરી રહી છે. થોડાક દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ખૈબર-પખ્તૂનખાં પ્રાંતમાં આયોજિત એક સાર્વજનિક રેલીમાં એક સ્વતંત્ર વિદેશ નીતિનું અનુસરણ કરવા માટે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે યુક્રેન પર હુમલો કરવા બદલ મોસ્કો પર અમેરિકાએ પ્રતિબંધો લગાવેલા હોવા છતાં નવી દિલ્હીએ રશિયાથી ક્રૂડ ઓઈલ આયાત કર્યું.

તેના જવાબમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મીડિયા બ્રિફિંગમાં કહ્યું હતું કે ભારતનો પોતાનો રેકોર્ડ જ આ વાતની પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું હતું કે એમ કહેવું ખોટું હશે કે ફક્ત એક નેતાએ નવી દિલ્હીની પ્રશંસા કરી છે. શ્રૃંગલાએ કહ્યું ‘એક વ્યક્તિ એમ કહેવું યોગ્ય નથી. મને લાગે છે કે અમારી અનેક વિદેશ નીતિની પહેલો માટે અમને વડાપ્રધાન સ્તર પર વિવિધ વર્ગોની પ્રશંસા મળી છે. મને લાગે છે કે અમારો રેકોર્ડ પોતે જ આ બાબતની પુષ્ટિ કરે છે.’

આ પણ વાંચો: રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધનો 28મો દિવસ, જાણો રશિયા-યુક્રેનને અત્યાર સુધીમાં કેટલુ થયુ નુકસાન ?

આ પણ વાંચો: વિશ્વમાં ‘વિશ્વયુદ્ધ’નો ખતરો! બિડેનના નિવેદનથી મચ્યો હંગામો, કહ્યું ટૂંક સમયમાં બનશે ન્યૂ વર્લ્ડ ઓર્ડર, કમાન્ડ યુએસના હાથમાં રહેશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">