AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire News : હૈદરાબાદમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, છ લોકોના મોત, અનેક ઘાયલ

હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે મૃત્યુનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ મૃત્યુનું સૌથી વધુ કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું માનવામાં આવે છે.

Fire News : હૈદરાબાદમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, છ લોકોના મોત, અનેક ઘાયલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:53 AM
Share

Telangana: હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. અહીં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત નિપજ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે તેમને છ લોકોના મોતની માહિતી મળી છે. પોલીસે કહ્યું કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુનું સ્પષ્ટ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ મૃત્યુનું સૌથી વધુ સામાન્ય કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું માનવામાં આવે છે.

ઉત્તર ઝોનના ડીસીપી ચંદના દીપ્તિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓ સહિત છ લોકોના મોત થયા છે, આ લોકો આગના સમયે અંદર હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેની હાલત નાજુક હતી અને તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અમે 7 લોકોને બચાવી પણ લીધા છે.

ફાયરની 14 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી છે. આ લોકો માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા. જેની ઓફિસ આ બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આગનું કારણ શોર્ટ સર્કિટ

બચાવ કામગીરી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, મોડી રાત સુધી બિલ્ડિંગમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. અત્યારે તેને સંપૂર્ણ કાબુમાં લેવામાં સમય લાગશે. તેમણે કહ્યું કે બચાવકર્મીઓ હજુ અંદર છે અને તપાસ કરી રહ્યા છે કે હજુ પણ અન્ય કોઈ ફસાયું નથી ને. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવ્યું છે.

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
g clip-path="url(#clip0_868_265)">