ચેન્નાઈમાં રોડ પર ભરાતા શાકમાર્કેટમાંથી રાત્રે શાક ખરીદતા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનો વીડિયો થયો વાયરલ, જુઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણનો (Finance Minister Nirmala Sitharaman) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણનો (Finance Minister Nirmala Sitharaman) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ શાકભાજી (vegetables) ખરીદતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો તેમના ઓફિસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. બન્યું એવું કે નિર્મલા સીતારમણ ગઈકાલ શનિવારે રાત્રે અચાનક ચેન્નાઈના માયલાપોર વિસ્તારમાં એક શાક માર્કેટમાં (Vegetable market) પહોંચી ગયા. શાકમાર્કેટમાં તેમને જોઈને લોકો આશ્ચર્યચકિત પણ થઈ ગયા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમનો શાકભાજી ખરીદતો વીડિયો પણ બનાવ્યો હતો.
વીડિયોમાં નાણામંત્રી શક્કરિયા ખરીદતા પણ જોઈ શકાય છે. આ સાથે તેમણે કારેલાની પણ ખરીદી કરી હતી. આ દરમિયાન તેમણે મંડીમાં સ્ટ્રીટ વેન્ડર્સ સાથે પણ વાતચીત કરી હતી. નાણામંત્રી એવા સમયે શાકભાજી ખરીદવા આવ્યા હતા. જ્યારે દેશમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. ભારતનો છૂટક ફુગાવો જુલાઈમાં 6.71 ટકાથી વધીને ઓગસ્ટમાં 7 ટકા થયો હતો. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી છૂટક ફુગાવો વધ્યો છે.
Some glimpses from Smt @nsitharaman‘s visit to Mylapore market in Chennai. https://t.co/GQiPiC5ui5 pic.twitter.com/fjuNVhfY8e
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
જોકે, વિદેશી બજારોમાં ઉછાળો, તહેવારોની માંગ અને ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે શનિવારે સ્થાનિક બજારમાં તમામ તેલીબિયાંના ભાવ સ્થિર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાતકારોને ખાદ્યતેલોની આયાત પર પ્રતિ કિલોએ રૂ. 10-15નું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે આયાતકારોએ આ આયાત ઊંચા ભાવે રાખી છે, તેઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
સીતારમણે કેસીઆર પર નિશાન સાધ્યું હતું
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધ્યું હતું. કેસીઆર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ માત્ર તાંત્રિક અને અંકશાસ્ત્રના નિષ્ણાતોની સલાહ પર રાજ્ય સચિવાલય જવાનું બંધ કર્યું નથી, પરંતુ લાંબા સમયથી તેમના મંત્રીમંડળમાં મહિલાઓનો સમાવેશ પણ કર્યો નથી. સીતારમણે એક નિવેદનમાં કહ્યું, “TRSની રચના તેલંગાણાની ભાવનાને સમજવા માટે કરવામાં આવી હતી. રાવે તેલંગાણા સાથે દગો કર્યો છે અને તાંત્રિકોની સલાહ પર TRSનું નામ બદલીને ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે.