નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- મોંઘવારી હવે મોટો મુદ્દો નથી, સરકારનું ધ્યાન રોજગાર, આર્થિક વૃદ્ધિ પર

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) કહ્યું કે મોંઘવારી રેકોર્ડ ઊંચા સ્તરેથી નીચે આવી રહી હોવાથી આ મુદ્દો હવે બહુ મહત્ત્વપૂર્ણ નથી રહ્યો અને હવે સરકારની પ્રાથમિકતા રોજગાર પેદા કરવાનું અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- મોંઘવારી હવે મોટો મુદ્દો નથી, સરકારનું ધ્યાન રોજગાર, આર્થિક વૃદ્ધિ પર
Finance Minister Nirmala SitaramanImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 10:22 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) બુધવારે કહ્યું હતું કે મોંઘવારી રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી નીચે આવી રહ્યો છે, આ મુદ્દો હવે બહુ મહત્વનો નથી અને હવે સરકારની પ્રાથમિકતા રોજગાર પેદા કરવાનું અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાની છે. અહીં ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં બોલતા નાણામંત્રીએ (Finance Minister) એમ પણ કહ્યું કે રોજગાર સર્જન અને સંપત્તિનું સમાન વિતરણ એ અન્ય ક્ષેત્રો છે, જેના પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમને કહ્યું કે કેટલીક પ્રાથમિકતાઓ છે અને કેટલીક એટલી મહત્વપૂર્ણ નથી. પ્રાથમિકતાઓ નિશ્ચિત રૂપથી નોકરીઓનું સર્જન, સંપત્તિનું સમાન વિતરણ અને દેશ વિકાસના માર્ગ પર આગળ વધે તેની ખાતરી કરવી.

મોંઘવારી અત્યારે પ્રાથમિકતા નથી: સીતારમણ

સીતારમણે કહ્યું કે આ સંદર્ભમાં અત્યારે મોંઘવારી પ્રાથમિકતા નથી. તેણે કહ્યું કે આનાથી તમારે હેરાન ન થવું જોઈએ. છેલ્લા કેટલાક મહિનામાં અમે તેને નીચે લાવવામાં સફળ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 7.79 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ત્યારથી તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે.

ઓફિશિયલ આંકડાઓ મુજબ ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને કારણે જુલાઈમાં ફુગાવો ઘટીને 6.71 ટકા પર આવી ગયો છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની 6 ટકાની ઉચ્ચ મર્યાદાથી ઉપર તે સતત સાતમા મહિને ઉપર રહ્યો હતો. જૂન 2022માં ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ) આધારિત છૂટક ફુગાવો 7.01 ટકા હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અસ્થિરતાથી રિઝર્વ બેન્ક સામનો કરશેઃ નાણામંત્રી

રિઝર્વ બેંકને રિટેલ ફુગાવો બેથી છ ટકાની વચ્ચે રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. નાણાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ અને યુરોપિયન કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારાને કારણે સર્જાયેલી અસ્થિરતાનો સામનો કરશે. તેમણે કહ્યું કે તમામ પડકારો હોવા છતાં અમને વિશ્વાસ છે કે દુનિયાભરની કેન્દ્રીય બેંકો તેમની અર્થવ્યવસ્થાને બચાવવા માટે જે પણ પગલાં લેવા માંગે છે તે લેશે. યુએસ ફેડ અથવા ઈસીબી જે પગલાં લઈ શકે છે આરબીઆઈને તેનો અંદાજ છે અને તેઓ કોઈ ઉતાર ચઢાવ વિના નાણાકીય નીતિને હેન્ડલ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

ગયા મહિને ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે પોલિસી રેટમાં આક્રમક વધારો કરવાનો સંકેત આપ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી ઉદ્ભવતા વૈશ્વિક ઉર્જા સંકટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની ઉપલબ્ધતા વિશે હજુ પણ અનિશ્ચિતતા છે. તેમણે પેમેન્ટ ટેક્નોલોજી સહિત દરેક ક્ષેત્રમાં ભારત અને યુએસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની જરૂરિયાત વિશે વાત કરી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">