Sharad Pawar આપી રહ્યા છે ખોટી જાણકારી, નવા કાયદાથી નહીં પડે APMC પર અસર: નરેન્દ્રસિંહ તોમર
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને લઈને છેલ્લા બે મહિનાથી ખેડૂતો રસ્તા પર બેઠા છે. આ દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એનસીપી પ્રમુખ Sharad Pawar પર પલટવાર કરતાં કહ્યું કે નવી ઈકોસિસ્ટમ અંતર્ગત ખેતીવાડી બજારો પ્રભાવિત થવાના નથી.
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને લઈને છેલ્લા બે મહિનાથી ખેડૂતો રસ્તા પર બેઠા છે. આ દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એનસીપી પ્રમુખ Sharad Pawar પર પલટવાર કરતાં કહ્યું કે નવી ઈકોસિસ્ટમ અંતર્ગત ખેતીવાડી બજારો પ્રભાવિત થવાના નથી. તેના લીધે સેવાઓ અને માળખાગત સુવિધામાં પ્રતિસ્પર્ધા અને કિંમત પણ પ્રભાવી શકે. તેમજ તેની સાથે બંને પ્રણાલીઓ ખેડૂતોના સામાન્ય હિત માટે એક સાથે અસ્તિત્વમાં રહેશે.
કેન્દ્રીય મંત્રી તોમરે આગળ જણાવ્યું કે “નવા કાયદા ખેડૂતોને તેમના પાકને વેચવા માટે વધારાનું પ્લેટફોર્મ આપે છે. આ કાયદા વર્તમાન એપીએમસી સિસ્ટમને અસર કરવાની નથી. વાસ્તવમાં ખેડૂતો સાથે અનેક મિટિંગો બાદ પણ આ મુદ્દે હજુ ઉકેલ આવ્યો નથી. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમ્યાન હિંસાથી આંદોલન નબળું પડ્યું હતું. પરંતુ હવે તે ફરી એકવાર આક્રમક બને તેમ લાગી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ‘શરદ પવારજી એક અનુભવી રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી છે. જેમણે કૃષિ સંબંધિત મુદ્દા અને તેના ઉકેલ અંગે સારી જાણકારી છે. તેમણે પોતે કૃષિ સુધાર લાવવા માટે ભારે મહેનત કરી હતી. જેમ જે તે અનુભવી નેતા છે. હું માંનું છું કે તે તથ્યોને ખોટી રીતે જાહેર કરી રહ્યા છે. તેમજ હવે તેમની પાસે સાચા તથ્યો છે તો મને આશા છે કે તે પોતાનું વલણ બદલશે અને આપણા ખેડૂતોને તેનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, એનસીપી નેતા Sharad Pawarએ ક્હ્યું કે આ કાયદા એમએસપી પર પ્રતિકૂળ પ્રભાવ નાંખશે અને એપીએમસી બજારને નબળા પાડી દેશે. તેમણે કહ્યું કે એમએસપીને સુનિશ્ચિત કરવા અને આ વ્યવસ્થાને વધુ મજબુત કરવાની જરૂરિયાત પર જોર આપવાની જરૂર છે. પવારે કહ્યું કે સુધારો એક પ્રક્રિયા છે અને એપીએમસી અથવા બજાર પ્રણાલીમાં સુધારા વિરુદ્ધ કોઈ પણ વ્યકિત દલીલ નહીં આપે. પરંતુ એક સકારાત્મક વિવાદનો કોઈ મતલબ નથી અને આ કાયદા પ્રણાલીને નબળી પાડવા અને નષ્ટ કરવા માટે છે.
આ પણ વાંચો: Mehbooba Muftiએ ફરી આલાપ્યો આર્ટીકલ 370નો રાગ, કહ્યું જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થવા દેત કૃષિ કાયદા