જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હજી સુધરતાં નથી, આતંકવાદી અને સુરક્ષા જવાનોની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ
પુલવામા હુમલા પછી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે ત્યારે આજે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તાર કુપવાડા જિલ્લા હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં મુથભેડ થઈ હતી. જેમાં 1 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો જ્યારે 4 સુરક્ષા જવાન શહીદ થયા છે. જ્યારે 4 જવાન ઇજાગ્રસ્ત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઆરપીએફ અને સેના જવાનો આતંકવાદીઓના મૃતદેહ લેવા માટે […]
પુલવામા હુમલા પછી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ વધુ તંગ બની રહી છે ત્યારે આજે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તાર કુપવાડા જિલ્લા હંદવાડામાં બાબાગુડ લંગેટ વિસ્તારમાં મુથભેડ થઈ હતી. જેમાં 1 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો જ્યારે 4 સુરક્ષા જવાન શહીદ થયા છે. જ્યારે 4 જવાન ઇજાગ્રસ્ત છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઆરપીએફ અને સેના જવાનો આતંકવાદીઓના મૃતદેહ લેવા માટે પહોંચ્યા હતા. જ્યારે મૃત પડેલા આંતકવાદીઓમાંથી એકે અચાનક ઊભા થઈને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં સ્થળ પર જ 2 જવાન શહીદ થયા હતા. જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા અને સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
#JammuKashmir : 4 CRPF Jawans martyred in a gunfight in Handwara. pic.twitter.com/scgyX0i687
— Tv9 Gujarati (@tv9gujarati) March 1, 2019
હાલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યાો છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે ગઈ મોડી રાતથી અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યો છે. જે દરમિયાન જ અચાનક એનકાઉન્ટર શરૂ થયું હતું.
આ પણ વાંચો : પાકિસ્તાનની ઉંઘ ઉડાવનાર અભિનંદને ત્યાં રહીનેે પણ બનાવ્યો World Record, સૌથી ઓછા સમયમાં દુશ્મનની પકડમાંથી છૂટ્યા
આ તરફ એન્કાઉન્ટરમાં ખલેલ પહોંચાડનરા સ્થાનિક લોકોને પણ સુરક્ષા જવાનોને હટાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પણ કેટલાંકને ગોળી લાગી હોવાનું સામે આવી રહ્યું છે.
[yop_poll id=1905]