દુબઈમાં ક્રેશ થયેલું ભારતનું તેજસ ફાઇટર જેટ કેટલું મોંઘું હતું ? શું વીમો લીધો હતો.. જાણો
દુબઈ એર શોમાં તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પાયલટ શહીદ થયા. મોંઘા સ્વદેશી જેટના ક્રેશ થવાથી મોટું આર્થિક નુકસાન થયું છે.

દુબઈ એર શોમાં એક ભારતીય તેજસ ફાઇટર જેટ ટેકઓફ દરમિયાન મોટી ભીડની સામે ક્રેશ થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાન પળવારમાં આગના ગોળામાં ફેરવાઈ ગયું અને દુર્ભાગ્યે પાઇલટનું મોત થયું. અંદાજે ₹680 કરોડની કિંમત ધરાવતા આ સ્વદેશી ફાઇટર જેટના નાશને કારણે અનેક પ્રશ્નો વધી ગયા છે. સૌથી મોટો પ્રશ્ન: દેશને કેટલું આર્થિક નુકસાન થયું? અને શું આ જેટનો વીમો લેવામાં આવ્યો હતો?
અકસ્માત કેવી રીતે બન્યો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેજસ એ દિવસના શો દરમિયાન પોતાની ચપળતા અને ક્ષમતાઓ દર્શાવી રહ્યું હતું. બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું ત્યારે અચાનક વિમાને સંતુલન ગુમાવ્યું. પળોમાં જ વિમાન નિયંત્રણ બહાર ગયું અને જોરદાર ઝડપથી જમીન પર પડ્યું. ટક્કર થતા જ વિશાળ વિસ્ફોટ થયો અને સ્થળ પર માત્ર ધુમાડો અને જ્વાળાઓ જ દેખાઈ રહી હતી. આ અકસ્માતમાં પાઇલટનું દુઃખદ અવસાન થયું.
તેજસ જેટની સાચી કિંમત કેટલી?
આર્થિક દષ્ટિએ આ ક્રેશ દેશ માટે એક મોટું નુકસાન છે. તેજસ જેટની વાસ્તવિક કિંમત સમજવા માટે તાજા સંરક્ષણ સોદાઓની વાત કરીએ તો, થોડા મહિના પહેલા ભારત સરકારે HAL સાથે 97 તેજસ Mk-1A વિમાનો માટે આશરે ₹62,370 કરોડનો કરાર કર્યો હતો.
આ પ્રમાણે, એક જેટની સરેરાશ કિંમત ₹680 કરોડ આવે છે.
HALના જૂના રેકોર્ડ મુજબ, ફક્ત એરફ્રેમની કિંમત આશરે ₹309 કરોડ છે, પરંતુ રડાર, હથિયાર સિસ્ટમ્સ, એવિઓનિક્સ, સોફ્ટવેર, ગ્રાઉન્ડ સપોર્ટ અને સ્પેરપાર્ટ્સનો ખર્ચ ઉમેરતાં કુલ કિંમત લગભગ ₹680 કરોડ થઈ જાય છે.
શું તેજસ ફાઇટર જેટનો વીમો લેવામાં આવ્યો હતો?
- આ પ્રશ્ન ઘણા લોકોને ચિંતિત કરે છે, પરંતુ જવાબ સ્પષ્ટ છે — ના.
ગાડીઓ કે બાઈકની જેમ ફાઇટર જેટ્સ માટે સામાન્ય વીમો લેવાતો નથી. લશ્કરી વિમાનોમાં જોખમ અત્યંત ઊંચું હોવાથી કોઈ પણ ખાનગી વીમા કંપની આવા વિમાનોને આવરી લેતી નથી.
- રક્ષણ ક્ષેત્રમાં ‘સ્વ-વીમો (Self Insurance)’ ની પદ્ધતિ–follow થાય છે:
- જ્યારે વિમાન HALની ફેક્ટરીમાં હોય અથવા ટેસ્ટ ફ્લાઇટ પર હોય, ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી HAL પર રહે છે.
- પરંતુ એકવાર વિમાન સત્તાવાર રીતે ભારતીય વાયુસેના (IAF) ને સોંપાય છે, ત્યારે તે દેશની મિલકત બને છે.
- લડાઈ કામગીરી, સુરક્ષા જોખમો અને ટેકનિકલ પડકારોને કારણે આવા વિમાનોનો વીમો બાહ્ય કંપનીઓ દ્વારા લેવાતો નથી.
