આ દેશ બાબરનો નથી, રઘુવરનો છે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- હિન્દુ રાષ્ટ્ર બનાવવું જરૂરી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ભારતમાં ધર્મ માત્ર સનાતન છે અને બાકી બધા પંથ છે. હિંદુ રાષ્ટ્રના પ્રશ્ન પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતનને કોઈ નષ્ટ કરી શકે નહીં. આપણા સનાતની લોકોને વારંવાર ધમકીઓ આપવામાં આવે છે. ધર્માંતરણ કરાવવામાં આવે છે. આ બધી બાબતોને લઈને મનમાં પીડા થાય છે. હું ધમકીઓ પર ધ્યાન આપતો નથી.
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. મંગળવારે, તેમણે કહ્યું કે અમે પોતે કોઈને જોડાવા માટે નથી કહેતા. તેમણે કહ્યું કે અમે ડોક્ટરોની વિરુદ્ધ નથી. અમે દવા અને દુઆ બંને વિશે વાત કરીએ છીએ. હું કોઈ ધર્મની વિરુદ્ધ નથી. અમને અપશબ્દો પણ સંભળાવવામાં આવે છે. આ દેશમાં લોકો પોતપોતાના દેવોના નામે રાજનીતિ કરે છે.
હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવું જરૂરી: ધીરેન્દ્ર શાસ્ત્રી
TV9 સાથેની વાતચીતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારત પંથ નિરપેક્ષ રાષ્ટ્ર છે, ધર્મ નિરપેક્ષ નથી. એટલા માટે હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવું જરૂરી છે. તમામ હિંદુઓ એક થઈને શસ્ત્રો ઉપાડવાની અપીલ કરવાના આરોપ પર તેમણે કહ્યું કે, જો સ્વરક્ષણ માટે બુલડોઝર ઉપાડવું ખોટું છે તો તેઓ કેવી રીતે રક્ષણ કરશે. અમે હત્યા વિશે વાત કરતા નથી. અમે કોઈને કાયદો હાથમાં લેવાનું પણ કહ્યું નથી. શસ્ત્રો આપણા દેવતાઓના હાથમાં રહે છે.
આ પણ વાંચો : ‘કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે…’ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે કોના પર નિશાન સાધ્યું?
સનાતનને કોઈ નષ્ટ કરી શકે નહીં: ધીરેન્દ્ર શાસ્ત્રી
તેમણે કહ્યું કે, ભારતમાં ધર્મ માત્ર સનાતન છે અને બાકી બધા પંથ છે. હિંદુ રાષ્ટ્રના પ્રશ્નો પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતનને કોઈ નષ્ટ કરી શકે નહીં. આપણા સનાતની લોકોને વારંવાર ધમકીઓ આપવામાં આવે છે. ધર્માંતરણ કરાવવામાં આવે છે. આ બધી બાબતોને લઈને મનમાં પીડા થાય છે. હું ધમકીઓ પર ધ્યાન આપતો નથી. જો કોઈ વીડિયો બનાવીને મને ધમકી આપે તો તે તેની મૂર્ખતા છે.
આ દેશ બાબરનો નથી, રઘુવરનો છે: ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ દેશ બાબરનો નથી, આ દેશ રઘુવરનો છે. ભારતમાં દરેક વ્યક્તિને વાણી સ્વતંત્રતા છે. જો કોઈની લાગણી ભડકતી હોય તો મલમ લગાવવો જોઈએ. જે અહીં આવે છે તેને આશ્રય મળે છે કારણ કે આપણે વસુદેવ કુટુંબકમની વાત કરીએ છીએ. અમે કોઈને દબાણ કરતા નથી.
આ પહેલા પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રયાગરાજમાં ગંગામાં સ્નાન કર્યા બાદ પોતાના ભક્તોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે તેમના સમર્થકોને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે એક થવા વિનંતી કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના સંબોધન દરમિયાન ઘણી ખુશી મળી હોવાની વાત કરી હતી. ત્યારે આમાંનો એક ઉત્સાહ ‘ભારત હિન્દુ રાષ્ટ્ર’નો પણ છે તેમ જણાવ્યું હતું.