બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડાપ્રધાન મોદી પાસેથી શું માગ્યુ ? જુઓ Video

આ વીડિયોમાં પત્રકારો ધીરેન્દ્ર શાસ્ત્રીને ઘણા સવાલ પુછે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી આ તમામ સવાલોના જવાબ આપે છે. ત્યારે એક પત્રકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પુછે છે કે તમે વડાપ્રધાન મોદી પાસેથી કંઈક જો માંગવાનું કહે તો તમે એવી કઈ વસ્તુ માંગશો?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 4:49 PM

મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. તેમના પર અંધશ્રદ્ધાથી લઈને મેલીવિદ્યા સુધીના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે, તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેને ભગવાનના આશીર્વાદ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સતત હેડલાઈન્સમાં રહેવાના કારણે લોકો તેમના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ‘કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે…’ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે કોના પર નિશાન સાધ્યું?

વીડિયો કોઈ પત્રકાર પરિષદનો છે જોકે આ વીડિયો જૂનો છે. આ વીડિયોમાં પત્રકારો ધીરેન્દ્ર શાસ્ત્રીને ઘણા સવાલ પુછે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી આ તમામ સવાલોના જવાબ આપે છે. ત્યારે એક પત્રકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પુછે છે કે તમે વડાપ્રધાન મોદી પાસેથી કંઈક જો માંગવાનું કહે તો તમે એવી કઈ વસ્તુ માંગશો ?

પત્રકારના આ સવાલ પર ધીરેન્દ્ર શાસ્ત્રી જવાબ આપતા કહે છે કે દેશને મકાન આપે કે ન આપે, દેશને રોડ રસ્તા આપે કે ન આપે, લાઈટ આપે કે ન આપે પરંતુ દેશને ખુબ સારી ગુરૂકુલ વ્યવસ્થા જરૂર આપે, અમે તો ગુરૂકુલ માંગીશું. ગુરૂકુલની વ્યવસ્થામાં જો ભારત ફરી પાછુ આવી ગયું તો અમે મકાન જાતે બનાવી લેશું.

આ સિવાય પત્રકાર બીજા ઘણા પ્રશ્નો પુછે છે જેમાં યુવાનોને સંદેશ શું આપશે તેમજ વૃદ્ધાશ્રમમાં ઘરડા માતાપિતાને તેમના પુત્રો મુકી આવે છે તો આ તમામ સવાલના જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રી આપે છે. વીડિયોના અંતમા પત્રકાર પુછ્યું કે જ્ઞાનવાપીનો જે વિવાદ ચાલે છે તેને કઈ રીતે જુઓ છો તો તેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે જ્ઞાનવાપીમાં સાધુ, સંતો અને અમારુ કહેવું છે કે ત્યાં શિવ છે. તેમા કોઈ શંકા નથી, શંકરજી બિરાજમાન છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">