હાઈકોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકાર: વગર માસ્કે થતા ચૂંટણી પ્રચાર પર હાઈકોર્ટે મોકલી નોટીસ
દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ મોકલી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક પહેરવાની ખાતરી આપવાની અરજી પર સુનાવણી કરતા આ નોટીસ મોકલવામાં આવી છે.
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ મોકલી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક પહેરવાની ખાતરી આપવાની અરજી પર સુનાવણી કરતા આ નોટીસ મોકલવામાં આવી છે.
વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન પ્રચારમાં સામેલ દરેક વ્યક્તિ માટે માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાની વિનંતી કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટીસ પાઠવી છે.
મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયાધીશ જસમીત સિંહની ખંડપીઠે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી અને થિંક ટેન્ક ‘સેન્ટર ફોર એકાઉન્ટન્સી એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ’ (સીએએસસી) ના વડા વિક્રમ સિંહની અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે.
કોર્ટે આ કેસની આગામી સુનાવણી 30 એપ્રિલે નક્કી કરી છે, જ્યારે તે વિક્રમ સિંહની મુખ્ય અરજીની પણ સુનાવણી કરવામાં આવશે. મુખ્ય પિટિશનમાં સિંહે વિનંતી કરી છે કે કોવિડ -19 વૈશ્વિક રોગચાળાને પગલે ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી જરૂરી માર્ગદર્શિકાઓનું વારંવાર ઉલ્લંઘન કરનારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારકો અને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર કરતા અટકાવો.
વિક્રમ સિંહ તરફથી હાજર રહેલા એડવોકેટ વિરાગ ગુપ્તાએ બેંચને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ડિજિટલ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા શારિરીક અંતર અને અનિવાર્ય માસ્ક પહેરવાની જાગૃતતા લાવવી જોઈએ.
Delhi HC issues notice to Cente & Election Commission, on a plea seeking direction to EC to publish prominently on its website, mobile apps, election material & other platforms, “EC guidelines for conduct of general elections/bye-elections during COVID19” published in Aug 2020 pic.twitter.com/OiafsKD4r5
— ANI (@ANI) April 8, 2021
ગુપ્તાએ દલીલ કરી હતી કે માસ્કના ઉપયોગ અંગે તમામ અધિકારીઓ એકમત છે, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિયમ કેમ લાગુ ન કરવો જોઇએ તે તર્કશાસ્ત્રની બહાર છે. કેન્દ્ર વતી, સરકારના કાયમી એડવોકેટ અનુરાગ આહલુવાલિયાએ નોટિસ સ્વીકારી હતી.
દેશમાં અત્યારે કોરોનાના કારણે કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. તેમજ ચૂંટણીઓમાં ભેગી કરવામાં આવતી જનમેદની અને તેમાં થતા કોરોના ગાઈડલાઈન્સના ઉલંઘનની ચર્ચાઓ સતત થતી રહેતી હોય છે. આ બાબતે હવે હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકાર લગાવી છે.
આ પણ વાંચો: PM મોદીની કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક, મમતા બેનર્જીની નહીં આપે બેઠકમાં હાજરી
આ પણ વાંચો: મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે – “અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે”