મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે – “અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે”

રાજ ઠાકરેએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે “મુંબઇમાં કોરોનો વાયરસના ઝડપથી ફેલાવા માટે પરપ્રાંતીય પ્રવાસી મજૂરો જવાબદાર છે.”

મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે - અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 10:06 AM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મંગળવારે ફરી એક વાર વિવાદિત બયાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે “મુંબઇમાં કોરોનો વાયરસના ઝડપથી ફેલાવા માટે પરપ્રાંતીય પ્રવાસી મજૂરો જવાબદાર છે.” તે જાણીતું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજ ઠાકરેએ કહ્યું કે અન્ય રાજ્યમાં પ્રવાસી મજૂરોના કોરોનાના ટેસ્ટ માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે.

રાજ ઠાકરેએ કહ્યું, “દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉદ્યોગો છે. અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો અહીં આવે છે. જ્યાંથી આ પરપ્રાંતિય મજૂરો આવે છે ત્યાં કોરોના પરીક્ષણ માટેની સુવિધાઓનો અભાવ છે.” રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની વાતચીત પછી કહ્યું, “ગયા વર્ષે લોકડાઉન દરમિયાન મેં સૂચન કર્યું હતું કે પરત ફરતા પરપ્રાંતિય મજૂરોનો ટેસ્ટ કરવામાં આવે, પરંતુ આવું કરવામાં આવ્યું નહોતું.” રાજ ઠાકરેએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે તેઓ ખેલાડીઓને પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાની મંજૂરી આપી શકે છે અને સામાજિક અંતરથી જિમ ખોલવાની મંજૂરી આપી શકે છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષે સોમવારની રાતથી મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલી પ્રતિબંધો વિશે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન બધી દુકાન ઓછામાં ઓછી બે કે ત્રણ દિવસ ખુલ્લી રાખવી જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રવિવારે રાજ્ય સરકારે જાહેર કરેલા પ્રતિબંધો મુજબ, આવશ્યક સેવાઓની દુકાનો, મેડીકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનને બાકાત રાખીને, અન્ય તમામ દુકાનો, બજારો અને શોપિંગ મોલ્સ 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં બંધ રહેશે.

સરકારનું કહેવું છે કે આ દરમિયાન મેન્યુફેક્ચરિંગને મંજૂરી આપવામાં આવશે. રાજ ઠાકરેએ કહ્યું કે જો દુકાનો ખુલી ન હોય તો મેન્યુફેક્ચરિંગને મંજૂરી આપવા પાછળ શું તર્ક છે?

લોકડાઉન સમયગાળા દરમિયાન લોકોના વીજળીના બિલ માફ કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી. ઠાકરેએ કહ્યું, “ઔદ્યોગિક ઉત્પાદન બંધ છે; કચેરીઓ બંધ થઈ રહી છે અને ઘણા લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે… લોકોએ વીજળીનાં બિલ કેવી રીતે ભરાશે?”

રાજ ઠાકરેએ રાજ્ય સરકારને અપીલ કરી હતી કે ઓફલાઈન પરીક્ષામાં ભાગ લેવા જતા 10 અને 12 ના વર્ગના તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે.

આ પણ વાંચો: મુસ્લિમ મતદારોને અપીલ કરવા બદલ ચૂંટણી પંચે મમતા બેનર્જીને મોકલી નોટિસ, 48 કલાકમાં જવાબ આપવા કહ્યું

આ પણ વાંચો: મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ, ભારતમાં બીજા નંબરે અદાણી, જાણો તેમની સંપતી વિશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">