જમ્મૂ કાશ્મીરના વિભાજન થયા બાદ પ્રથમ વખત લદ્દાખની મુલાકાતે દલાઈ લામા, LAC પર તણાવની વચ્ચે ચીનને સંદેશ આપવાનો પ્રયત્ન
દલાઈ લામા જમ્મુ પહોંચ્યા પછી તરત જ તેમણે ચીનને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે તેઓ તિબેટની સંપૂર્ણ સ્વતંત્રતા નહીં, પરંતુ તિબેટની બૌદ્ધ સંસ્કૃતિની જાળવણી અને ચીનની અંદર અર્થપૂર્ણ સ્વાયત્તતા ઈચ્છે છે.
તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા (Dalai Lama) આજે એટલે કે શુક્રવારથી લદ્દાખની મુલાકાતે છે. ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન થયા પછી લદ્દાખની (Ladakh) આ તેમની પ્રથમ મુલાકાત છે. એવું માનવામાં આવે છે કે દલાઈ લામાની મુલાકાત પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) નજીક ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે થઈ રહી છે, ત્યારે ચીનનો ગુસ્સો વધી શકે છે.
દલાઈ લામા જમ્મુ પહોંચ્યા પછી તરત જ તેમણે ચીનને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે તેઓ તિબેટની સંપૂર્ણ સ્વતંત્રતા નહીં, પરંતુ તિબેટની બૌદ્ધ સંસ્કૃતિની જાળવણી અને ચીનની અંદર અર્થપૂર્ણ સ્વાયત્તતા ઈચ્છે છે. દલાઈ લામાએ કહ્યું, “ચીની લોકો નહીં, પરંતુ કેટલાક ચીની કટ્ટરપંથીઓ મને અલગતાવાદી નેતા માને છે.”
ચીની લોકો માને છે કે અમે આઝાદી નથી માંગતા: દલાઈ લામા
તેમણે વધુમાં કહ્યું કે “હવે વધુને વધુ ચીની લોકો એ સમજવા લાગ્યા છે કે દલાઈ લામા આઝાદીની માંગ નથી કરી રહ્યા, પરંતુ ચીનની અંદર તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિને સુરક્ષિત કરવા માટે એક અર્થપૂર્ણ સ્વાયત્તતા ઈચ્છે છે.”
ગુરુવારે જમ્મુ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લદ્દાખના લોકોએ આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું જોરદાર સ્વાગત કર્યું. 14મા દલાલ લામા શુક્રવારે લદ્દાખની રાજધાની લેહ જશે, જ્યાં તેઓ લગભગ એક મહિના સુધી રોકાય શકે છે. તાજેતરમાં ચીને ભારત સરકારની ટીકા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલાઈ લામાને ફોન કરીને તેમના 87માં જન્મદિવસ પર અભિનંદન આપ્યા પછી તેની આંતરિક બાબતોમાં દખલગીરીનો આક્ષેપ કર્યો હતો.
ચીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનવા સામે વાંધો ઉઠાવ્યો હતો
ચીને લગભગ 3 વર્ષ પહેલા ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાં બંધારણીય ફેરફારો અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા સામે પણ સખત વાંધો ઉઠાવ્યો હતો. કેટલાક મહિનાઓ પછી એટલે કે આવતા વર્ષે એપ્રિલ 2020માં ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક મોટાપાયે સૈન્ય બનાવવાનું શરૂ કર્યું અને આ દરમિયાન પૂર્વી લદ્દાખમાં ભારતીય વિસ્તારને કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જૂન 2020માં ગલવાન ઘાટીમાં અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. આ લોહિયાળ અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા.
સંબંધોને સામાન્ય બનાવવા માટે બંને વચ્ચે ઘણા રાઉન્ડની વાતચીત થઈ છે. ત્યારથી બંને પક્ષોએ તણાવ ઘટાડવા માટે સૈન્ય અને રાજદ્વારી સ્તરની વાતચીતના ઘણા રાઉન્ડ યોજ્યા છે. આગામી થોડા દિવસોમાં સૈન્ય કમાન્ડરોની વાતચીતનો આગામી રાઉન્ડ યોજાશે.