રાષ્ટ્રપતિની ચૂંટણી પર સીએમ એકનાથ શિંદેએ કહ્યું, ‘અમે આદિવાસીઓને સમર્થન આપીએ છીએ, મુર્મુને મત આપીને તમામ રેકોર્ડ તોડીશું’
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ (CM Eknath Shinde) કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા છે. અમે આદિવાસીઓ માટે કામ કરીએ છીએ અને આદિવાસી લોકોનું સમર્થન કરીએ છીએ.
મહારાષ્ટ્રમાં (Maharashtra) રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સીએમ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે જોવા મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ પણ તાજેતરમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને (Draupadi Murmu) સમર્થન જાહેર કર્યું હતું. આજે સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ એક આદિવાસી મહિલા છે. અમે આદિવાસીઓ માટે કામ કરીએ છીએ અને આદિવાસી લોકોને ટેકો આપીએ છીએ. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં અમે તમામ રેકોર્ડ તોડી નાખીશું અને બધા વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ દ્રૌપદી મુર્મુને મત આપશે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
Mumbai | Presidential polls candidate Droupadi Murmu is a tribal woman. We work for tribals and we support tribal people. In this election, we’ll break all records and everyone will vote for Droupadi Murmu under Prime Minister Modi’s guidance: Maharashtra CM Eknath Shinde (14.07) pic.twitter.com/dgmPyy6sVc
— ANI (@ANI) July 14, 2022
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ બનવાની તક આપી છે, તે ગર્વ અને સન્માનની વાત છે. તેમણે કહ્યું કે મને એ વાતનો પણ ગર્વ છે કે અમને આ પદ માટે આદિવાસી સમુદાયના સભ્યને પસંદ કરવાનો મોકો મળ્યો છે.
યશવંત સિંહાએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો
બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ચૂંટણીમાં ભાજપ પર હોર્સ-ટ્રેડિંગનો આરોપ લગાવીને તપાસની માંગ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે ભગવા પાર્ટી ઓપરેશન લોટસ ચલાવી રહી છે, જે હેઠળ તે કથિત રીતે બિન-ભાજપ ધારાસભ્યોને તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવા માટે મોટી રકમની ઓફર કરી રહી છે, કારણ કે તે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પરિણામોથી ડરે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી 21 જુલાઈએ થશે
તમને જણાવી દઈએ કે લોટસ એટલે કમળ એ ભાજપનું ચૂંટણી પ્રતીક છે અને વિરોધ પક્ષો બિન-ભાજપ શાસિત રાજ્યોમાં સત્તા મેળવવા માટે ઓપરેશન લોટસ ચલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. વિરોધ પક્ષો આ શબ્દનો ઉપયોગ ભાજપ દ્વારા સરકાર રચવા માટે પક્ષપલટો કરવાના કથિત પ્રયાસોનો સંદર્ભ આપવા માટે કરે છે. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે ઓડિશાના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને નોમિનેટ કર્યા છે. રાષ્ટ્રપતિ પદ માટે આ મહિનાની 18મીએ મતદાન થશે અને 21મીએ મતગણતરી થશે.