AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરહદ પારના આતંકવાદ સામે લડવા માટે સીમાપારનો સહયોગ જરૂરીઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણે આતંકવાદને અલગ-અલગ ચશ્માથી ના જોવો જોઈએ. તેમણે કહ્યું કે કટ્ટરતા એ વૈશ્વિક સમસ્યા છે અને તેને તે રીતે જ જોવી પડશે.

સરહદ પારના આતંકવાદ સામે લડવા માટે સીમાપારનો સહયોગ જરૂરીઃ અમિત શાહ
Amit Shah, Home Minister
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 5:37 PM
Share

ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં ઇન્ટરપોલની 90મી બેઠકને સંબોધિત કરી છે. ગૃહમંત્રીએ ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીમાં (Interpol General Assembly) પશ્ચિમી દેશોના પ્રતિનિધિઓ સાથે આતંકવાદનો (Terrorism) મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે આતંકવાદને અલગ-અલગ ચશ્માથી જોવાની જરૂર નથી. તેમણે કહ્યું કે કટ્ટરતા એ વૈશ્વિક સમસ્યા છે અને તેને તે રીતે જ જોવી પડશે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ સારા-ખરાબ, નાના કે મોટા અથવા તો અલગ-અલગ પ્રકારના નથી હોતા, પરંતુ બધા એક જ રીતે વર્તે છે.

ગૃહમંત્રીએ કહ્યું કે ઇન્ટરપોલે તમામ સભ્ય દેશોની આતંકવાદ વિરોધી અને એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ વચ્ચે રીઅલ-ટાઇમ માહિતી આપ લે માટે રેખા સ્થાપિત કરવા માટે કાયમી મિકેનિઝમ બનાવવાની પહેલ કરવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે જો આજના યુગના ગુનાઓ અને ગુનેગારોને રોકવા હશે તો આપણે પરંપરાગત ભૌગોલિક સરહદોથી ઉપર ઉઠીને વિચારવું પડશે. ગૃહમંત્રીએ કહ્યું કે સરહદ પારના આતંકવાદ સામે લડવા માટે સીમાપારનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આતંકવાદને રાજકીય સમસ્યા ગણી શકાય નહીં

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ અને આતંકવાદના અર્થઘટન પર તમામ દેશોએ સહમત થવું પડશે. તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા અને સારા આતંકવાદ કે ખરાબ આતંકવાદ, આતંકવાદી હુમલા મોટા હોય કે નાના, બંને સાથે ન ચાલી શકે. તેમણે કહ્યું કે ઓનલાઈન કટ્ટરપંથી દ્વારા સરહદ પારથી ફેલાવવામાં આવી રહેલા આતંકવાદની વિચારધારાના પડકાર પર સર્વસંમતિ કેળવવી પણ જરૂરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે આપણે આ સમસ્યાને રાજકીય સમસ્યા ન ગણી શકીએ.

ઇન્ટરપોલે આગામી 50 વર્ષનો પ્લાન તૈયાર કરવો જોઈએ

ગૃહમંત્રી અમિત શાહે સામાન્ય સભાને સંબોધતા સૂચન કર્યું હતું કે ઇન્ટરપોલે તેના છેલ્લા 100 વર્ષના અનુભવો અને સિદ્ધિઓના આધારે આગામી 50 વર્ષ માટે ભવિષ્યની યોજના તૈયાર કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત વિશ્વભરમાં આતંકવાદ વિરોધી અને નશીલા પદાર્થો વિરોધી એજન્સીઓ માટે સમર્પિત કેન્દ્ર અથવા સંમેલન સ્થાપવા અને સમર્પિત સંચાર નેટવર્ક શરૂ કરવા માટે ઇન્ટરપોલના સહયોગ માટે પ્રતિબદ્ધ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">