સરહદ પારના આતંકવાદ સામે લડવા માટે સીમાપારનો સહયોગ જરૂરીઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણે આતંકવાદને અલગ-અલગ ચશ્માથી ના જોવો જોઈએ. તેમણે કહ્યું કે કટ્ટરતા એ વૈશ્વિક સમસ્યા છે અને તેને તે રીતે જ જોવી પડશે.

સરહદ પારના આતંકવાદ સામે લડવા માટે સીમાપારનો સહયોગ જરૂરીઃ અમિત શાહ
Amit Shah, Home Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 5:37 PM

ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં ઇન્ટરપોલની 90મી બેઠકને સંબોધિત કરી છે. ગૃહમંત્રીએ ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીમાં (Interpol General Assembly) પશ્ચિમી દેશોના પ્રતિનિધિઓ સાથે આતંકવાદનો (Terrorism) મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે આતંકવાદને અલગ-અલગ ચશ્માથી જોવાની જરૂર નથી. તેમણે કહ્યું કે કટ્ટરતા એ વૈશ્વિક સમસ્યા છે અને તેને તે રીતે જ જોવી પડશે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ સારા-ખરાબ, નાના કે મોટા અથવા તો અલગ-અલગ પ્રકારના નથી હોતા, પરંતુ બધા એક જ રીતે વર્તે છે.

ગૃહમંત્રીએ કહ્યું કે ઇન્ટરપોલે તમામ સભ્ય દેશોની આતંકવાદ વિરોધી અને એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ વચ્ચે રીઅલ-ટાઇમ માહિતી આપ લે માટે રેખા સ્થાપિત કરવા માટે કાયમી મિકેનિઝમ બનાવવાની પહેલ કરવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે જો આજના યુગના ગુનાઓ અને ગુનેગારોને રોકવા હશે તો આપણે પરંપરાગત ભૌગોલિક સરહદોથી ઉપર ઉઠીને વિચારવું પડશે. ગૃહમંત્રીએ કહ્યું કે સરહદ પારના આતંકવાદ સામે લડવા માટે સીમાપારનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આતંકવાદને રાજકીય સમસ્યા ગણી શકાય નહીં

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ અને આતંકવાદના અર્થઘટન પર તમામ દેશોએ સહમત થવું પડશે. તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા અને સારા આતંકવાદ કે ખરાબ આતંકવાદ, આતંકવાદી હુમલા મોટા હોય કે નાના, બંને સાથે ન ચાલી શકે. તેમણે કહ્યું કે ઓનલાઈન કટ્ટરપંથી દ્વારા સરહદ પારથી ફેલાવવામાં આવી રહેલા આતંકવાદની વિચારધારાના પડકાર પર સર્વસંમતિ કેળવવી પણ જરૂરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે આપણે આ સમસ્યાને રાજકીય સમસ્યા ન ગણી શકીએ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ઇન્ટરપોલે આગામી 50 વર્ષનો પ્લાન તૈયાર કરવો જોઈએ

ગૃહમંત્રી અમિત શાહે સામાન્ય સભાને સંબોધતા સૂચન કર્યું હતું કે ઇન્ટરપોલે તેના છેલ્લા 100 વર્ષના અનુભવો અને સિદ્ધિઓના આધારે આગામી 50 વર્ષ માટે ભવિષ્યની યોજના તૈયાર કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત વિશ્વભરમાં આતંકવાદ વિરોધી અને નશીલા પદાર્થો વિરોધી એજન્સીઓ માટે સમર્પિત કેન્દ્ર અથવા સંમેલન સ્થાપવા અને સમર્પિત સંચાર નેટવર્ક શરૂ કરવા માટે ઇન્ટરપોલના સહયોગ માટે પ્રતિબદ્ધ છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">