AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા, 954 લોકો સાજા થયા

Corona Virus: દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.

Covid 19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા, 954 લોકો સાજા થયા
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:11 AM
Share

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના 1,150 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે, જે પછી કોરોનાના (Covid 19) કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,21,751 થઈ ગયો છે. જો હાલમાં સક્રિય કેસની વાત કરીએ તો ભારતમાં કુલ સક્રિય કેસ 11,558 થઈ ગયા છે. તે જ સમયે, 954 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસ રસીના 186 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 12,56,533 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 186,51,53,593 ડોઝ આપવામાં આવ્યા છે.

જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગઈકાલે વડોદરા કોર્પોરેશનમાં 02 કેસ, વડોદરામાં 01 અને સાબરકાંઠામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,13,074 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 126 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10,942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ખાસ વાત એ છે કે સતત કોરોના મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી તથા ગાંધીનગરમાં વચ્ચે નોંધાયેલા કોરોના વિસ્ફોટ બાદ ગાંધીનગરમાં પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાને કારણે રાજયમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે વડોદરામાં કુલ 08 દર્દીઓ સાજા થયા છે અને ડાંગ જિલ્લામાં 01 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">