AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા, 954 લોકો સાજા થયા

Corona Virus: દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.

Covid 19 Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા, 954 લોકો સાજા થયા
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:11 AM
Share

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના 1,150 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે, જે પછી કોરોનાના (Covid 19) કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,21,751 થઈ ગયો છે. જો હાલમાં સક્રિય કેસની વાત કરીએ તો ભારતમાં કુલ સક્રિય કેસ 11,558 થઈ ગયા છે. તે જ સમયે, 954 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં સક્રિય દર વધીને 0.03 ટકા થઈ ગયો છે. તે જ સમયે, કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો 98.76 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસ રસીના 186 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 12,56,533 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 186,51,53,593 ડોઝ આપવામાં આવ્યા છે.

જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગઈકાલે વડોદરા કોર્પોરેશનમાં 02 કેસ, વડોદરામાં 01 અને સાબરકાંઠામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,13,074 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 126 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10,942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ખાસ વાત એ છે કે સતત કોરોના મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી તથા ગાંધીનગરમાં વચ્ચે નોંધાયેલા કોરોના વિસ્ફોટ બાદ ગાંધીનગરમાં પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાને કારણે રાજયમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે વડોદરામાં કુલ 08 દર્દીઓ સાજા થયા છે અને ડાંગ જિલ્લામાં 01 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">