Corona virus: સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર કહ્યું કોરોનામાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મળવું જોઈએ મફત શિક્ષણ

કોરોનાના કારણે કોઈના માથા પરથી પિતાની છત ચાલી ગઈ તો કોઈએ માતા ગુમાવી. એવામાં સોનિયા ગાંધીએ અનાથ બાળકોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે પીએમને પત્ર લખ્યો છે.

Corona virus: સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર કહ્યું કોરોનામાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મળવું જોઈએ મફત શિક્ષણ
સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 20, 2021 | 4:30 PM

Coronavirus: કોરોના મહામારીના કારણે કેટલાય પરિવાર તૂટી ગયા છે.  આ બીમારીએ કેટલાક પરિવારના એકમાત્ર કમાનારા વ્યક્તિને છીનવી લીધો છે. કોરોનાના કારણે કોઈના માથા પરથી પિતાની છત ચાલી ગઈ તો કોઈએ માતા ગુમાવી. એવામાં સોનિયા ગાંધીએ અનાથ બાળકોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે પીએમને પત્ર લખ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોંગ્રસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને બાળકોને નવોદય વિદ્યાલયમાં મફતમાં શિક્ષણ આપવામાં વિચાર કરવાનો અનુરોધ કર્યો છે. જેમણે કોવિડ સંક્રમણના ઈલાજ દરમિયાન પોતાના માત-પિતા અથવા પરિવારના એક કમાવાવાળા સભ્યને ખોઈ દીધા છે.

તેમણે પત્રમાં કહ્યું જેમકે આપણે જાણીએ છીએ કે કોરોનાની આ લહેરમાં કેટલાય લોકોના પરિવાર બરબાદ થઈ ચૂક્યા છે. મહામારીના કારણે બરબાદી અને પ્રભાવિત પરિવારો દ્વારા સહન કરવામાં આવી રહેલી કરણાંત વચ્ચે  આ સંક્રમણથી પોતાના બંને માતા-પિતા ગુમાવનાર નાના બાળકોના સમાચાર સૌથી વધારે દિલને સ્પર્શે તેવા  છે. તેમના શિક્ષણ કે ભવિષ્યની ચિંતા કરનારુ કોઈ નથી.

સોનિયા ગાંધી પત્રમાં કહે છે આપ જાણો છો કે મારા પતિ રાજીવ ગાંધીના સૌથી મહત્વપૂર્ણ વારસામાંથી એક નવોદય વિદ્યાલય નેટવર્ક છે. મારા પતિનું સપનું હતુ કે ગામડામાં રહેનારા બાળકોને ઓછા ખર્ચમાં સારુ શિક્ષણ આપી શકીએ અને અત્યારે સમગ્ર દેશમાં નવોદયની 661 સ્કૂલ છે.

આ પત્ર હું આપને અનુરોધ કરવા માટે લખી રહી છેુ કે જેથી આપ આ મહામારીમાં પોતાનું બધુ જ ગુમાવી ચૂકેલા બાળકોને નવોદય વિદ્યાલયમાં મફત શિક્ષણ પ્રદાન કરવા પર વિચાર કરો. તે બાળકોને શિક્ષણનો મોકો મળવો જોઈએ, જેમણે કોવિડ-19 મહામારીના કારણે માતા-પિતા અથવા કમાવાવાળા સભ્યો ગુમાવ્યા છે. સોનિયા ગાંધી આગળ કહે છે કે મને લાગે છે કે એક રાષ્ટ્રના રુપમાં આપણે એક અકલ્પનીય કરુણાંત બાદ એક મજબૂત ભવિષ્યની આશા દેવા માટે તેમના ઋણી છીએ.

આ પણ વાંચો: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે 1 લાખનો મફત વીમો, ખેતી માટે લોન પણ મળશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">