AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: કોરોના રસી લઈ ચૂકેલા ક્રૂ વાળા પ્રથમ વિમાને ભરી આંતરરાષ્ટ્રીય ઉડાન

Coronavirus: એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે 'વંદે ભારત મિશન' અંતર્ગત પહેલીવાર ફુલી કોવિડ-19 વેક્સિનેટેડ ક્રુ સાથે ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાનનું (International Flight) સંચાલન કર્યુ.

Corona Virus: કોરોના રસી લઈ ચૂકેલા ક્રૂ વાળા પ્રથમ વિમાને ભરી આંતરરાષ્ટ્રીય ઉડાન
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 18, 2021 | 10:56 PM
Share

Coronavirus: એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે ‘વંદે ભારત મિશન’ અંતર્ગત પહેલીવાર ફુલી કોવિડ-19 વેક્સિનેટેડ ક્રુ સાથે ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાનનું (International Flight) સંચાલન કર્યુ. ફ્લાઈટ IX 191એ દિલ્લીથી સવારે 10:40 વાગ્યે દુબઈથી ઉડાન ભરી, જેમાં પાયલોટ અને તમામ ક્રુને કોરોનાવાયરસની વેક્સિન આપવામાં આવી હતી.

એરલાઈનના એક નિવેદન પ્રમાણે ફ્લાઈટનું સંચાલન કરવાવાળા ક્રુમાં વેંકટ કેલા, પ્રવીણ ચંદ્ર, પ્રવીણ ચુગલ અને મનીષા કાંબલે સામેલ છે. જ્યારે ફ્લાઈટના કેપ્ટન ડી.આર.ગુપ્તા અને આલોક કુમાર નાયક છે. કેપ્ટન આલોક કુમાર નાયકે કહ્યું ભારતથી ઉડાન ભરનારી આ પહેલી ફ્લાઈટ છે. જેમાં ક્રુ સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ છે.

તેમણે જણાવ્યું કે દેશમાં કોરોના મહામારીની શરુઆત સાથે વંદે ભારત અભિયાન અંતર્ગત પહેલી ફ્લાઈટ એર ઈન્ડિયાની સંચાલિત કરવામાં આવી હતી. એ સમયે અબૂ ધાબીથી યાત્રિઓને લઈને ફ્લાઈટ 7મે 2020ના રોજ ફ્લાઈટ ભારતમાં લેન્ડ થઈ હતી. તેમણે જણાવ્યું કે વંદે ભારત મિશન અંતર્ગત એર ઈન્ડિયા એક્સપ્રેસ ગયા મહિને 7,005 ફ્લાઈટ સંચાલિત કરી ચુકી છે. જેમાં દેશમાં આવનારા યાત્રિઓની કુલ સંખ્યા 16.3 લાખ હતી.

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે કોવિડ-19 મહામારીની શરુઆત બાદથી સંબંધિત જટિલતાઓના કારણે ભારતમાં ઓછામાં ઓછા 17 પાયલોટન મોત થયા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સે હવાઈ પરિવહન શ્રમિક માટે અગ્રિમ પંક્તિની સ્થિતિની માંગ કરી છે અને કોર્ટમાં અરજી દાખલ કરી છે.

મૃત્યૂ પામેલા પાયલોટ કેપ્ટન હર્ષ તિવારીની પત્ની મૃદુસ્મિતા દાસ તિવારીએ કહ્યું કે અમારી દિકરી હજી સુધી નથી જાણતી કે હવે એના પપ્પા પાછા નહીં આવે. તે હજી પણ પિતાના પાછા આવવાની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે અમે એક એવો પરિવાર છીએ જે ત્રણ પેઢીઓથી એર ઈન્ડિયા સાથે જોડાયેલા છે. જો આ વખતે તેમને રસી અપાઈ હોત તો તેમને બચાવી શકાયા હોત.

આ પણ વાંચો: સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી, પૂછ્યું દંડ કેમ ન કરવો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">