AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી, પૂછ્યું દંડ કેમ ન કરવો

શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ Twitter ના અધિકારીઓ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા. આ દરમિયાન સમિતિએ કંપનીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી, પૂછ્યું દંડ કેમ ન કરવો
સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી
| Updated on: Jun 18, 2021 | 10:22 PM
Share

દેશના માહિતી ટેકનોલોજી(IT)ના નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને Twitter વચ્ચેના વિવાદ દરમ્યાન શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટના અધિકારીઓ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા. આ દરમિયાન સમિતિએ કંપનીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. ટ્વિટર વતી ગોપનીયતા નીતિનો ઉલ્લેખ કરતા સમિતિએ કહ્યું કે દેશનો કાયદો સર્વોપરી છે, તમારી નીતિનો નહિ.\

દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો જોઈએ

ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સમિતિના સભ્યોએ Twitter ને પૂછ્યું કે, દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો જોઈએ. કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરને તાત્કાલિક નવા આઇટી(IT)નિયમોનું પાલન કરવાની છેલ્લી તક આપતા નોટિસ ફટકારી હતી અને ચેતવણી આપી હતી કે જો નિયમોનું પાલન નહિ કરવામાં આવે તો પ્લેટફોર્મને આઇટી(IT)એક્ટ હેઠળ જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.

Twitterને સમન્સ પાઠવ્યું હતું

ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિએ ગયા અઠવાડિયે પ્લેટફોર્મના દુરૂપયોગ અને નાગરિકોના હક્કોના રક્ષણ સહિતના મુદ્દાઓ પર Twitterને સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે Twitterઇન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને કાનૂની સલાહકાર આયુષિ કપૂરે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

Twitter વચ્ચે ઘણા વિષયો પર તકરાર ચાલી રહી છે

છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર અને Twitter વચ્ચે ઘણા વિષયો પર તકરાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિતના સંગઠનના ઘણા વરિષ્ઠ અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટનું ‘બ્લુ ટિક’ હટાવ્યા બાદ ટ્વિટર પણ વિવાદમાં આવી ગયું હતું. જો કે વિવાદ બાદ ટ્વિટરે આ બ્લ્યુ ટીક ફરી એક્ટિવ કરી દીધું હતું.

ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીને પૂછપરછ કરી હતી

આ પૂર્વે દિલ્હી પોલીસે ટ્વિટરને એક નોટિસ મોકલીને પૂછ્યું હતું કે તે કેન્દ્ર સરકાર વિરુદ્ધ કથિત કોંગ્રેસ ટૂલકિટને ” મેનિપુલીટેડ મીડિયા’ નું લેબલ કેવી રીતે આપ્યું. 31 મેના રોજ દિલ્હી પોલીસે આ મામલે ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીને પૂછપરછ કરી હતી. 24 મેના રોજ ટૂલકિટના મુદ્દે પોલીસ દિલ્હી અને ગુડગાંવમાં ટ્વિટરની ઓફિસ પણ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)સ્પષ્ટતા કરી હતી કે સરકાર સંપૂર્ણ તટસ્થ છે. તેમણે કહ્યું કે, જો કોઈ દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત અડધી સરકાર Twitter પર હોય તો સ્પષ્ટ થાય છે કે આપણે તટસ્થ છીએ. પરંતુ નિયમ એ નિયમ છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)એ કહ્યું અમે કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. પરંતુ તેણે કાયદાનું પાલન કરવું પડશે.

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">