સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી, પૂછ્યું દંડ કેમ ન કરવો

શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ Twitter ના અધિકારીઓ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા. આ દરમિયાન સમિતિએ કંપનીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી, પૂછ્યું દંડ કેમ ન કરવો
સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે સંસદીય સમિતિએ Twitter ને ફટકાર લગાવી
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 10:22 PM

દેશના માહિતી ટેકનોલોજી(IT)ના નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને Twitter વચ્ચેના વિવાદ દરમ્યાન શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટના અધિકારીઓ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા. આ દરમિયાન સમિતિએ કંપનીના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. ટ્વિટર વતી ગોપનીયતા નીતિનો ઉલ્લેખ કરતા સમિતિએ કહ્યું કે દેશનો કાયદો સર્વોપરી છે, તમારી નીતિનો નહિ.\

દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો જોઈએ

ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સમિતિના સભ્યોએ Twitter ને પૂછ્યું કે, દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કેમ ન કરવો જોઈએ. કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરને તાત્કાલિક નવા આઇટી(IT)નિયમોનું પાલન કરવાની છેલ્લી તક આપતા નોટિસ ફટકારી હતી અને ચેતવણી આપી હતી કે જો નિયમોનું પાલન નહિ કરવામાં આવે તો પ્લેટફોર્મને આઇટી(IT)એક્ટ હેઠળ જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Twitterને સમન્સ પાઠવ્યું હતું

ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિએ ગયા અઠવાડિયે પ્લેટફોર્મના દુરૂપયોગ અને નાગરિકોના હક્કોના રક્ષણ સહિતના મુદ્દાઓ પર Twitterને સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે Twitterઇન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને કાનૂની સલાહકાર આયુષિ કપૂરે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

Twitter વચ્ચે ઘણા વિષયો પર તકરાર ચાલી રહી છે

છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર અને Twitter વચ્ચે ઘણા વિષયો પર તકરાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિતના સંગઠનના ઘણા વરિષ્ઠ અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટનું ‘બ્લુ ટિક’ હટાવ્યા બાદ ટ્વિટર પણ વિવાદમાં આવી ગયું હતું. જો કે વિવાદ બાદ ટ્વિટરે આ બ્લ્યુ ટીક ફરી એક્ટિવ કરી દીધું હતું.

ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીને પૂછપરછ કરી હતી

આ પૂર્વે દિલ્હી પોલીસે ટ્વિટરને એક નોટિસ મોકલીને પૂછ્યું હતું કે તે કેન્દ્ર સરકાર વિરુદ્ધ કથિત કોંગ્રેસ ટૂલકિટને ” મેનિપુલીટેડ મીડિયા’ નું લેબલ કેવી રીતે આપ્યું. 31 મેના રોજ દિલ્હી પોલીસે આ મામલે ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીને પૂછપરછ કરી હતી. 24 મેના રોજ ટૂલકિટના મુદ્દે પોલીસ દિલ્હી અને ગુડગાંવમાં ટ્વિટરની ઓફિસ પણ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)સ્પષ્ટતા કરી હતી કે સરકાર સંપૂર્ણ તટસ્થ છે. તેમણે કહ્યું કે, જો કોઈ દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત અડધી સરકાર Twitter પર હોય તો સ્પષ્ટ થાય છે કે આપણે તટસ્થ છીએ. પરંતુ નિયમ એ નિયમ છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે(Ravisankar Prasad)એ કહ્યું અમે કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. પરંતુ તેણે કાયદાનું પાલન કરવું પડશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">