દેશમાં કોરોના વાઈરસનો કેર ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 24 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. આ સમયે સરકારે પણ લોકો સારી રીતે સારવાર કરાવી શકે તે માટે પગલાં લીધા છે. સરકારે આયુષ્માન ભારત યોજના અંતગર્ત કોરોનાની કેશલેસ સારવાર આપતી હોય એવી હોસ્પિટલની સંખ્યામાં વધારો કર્યો. ઉલ્લેખનીય છે કે આ યોજના મુજબ કોઈપણ પરિવારને વાર્ષિક 5 લાખ રુપિયા સુધી સહાય વિનામૂલ્યે મળે છે.
આ પણ વાંચો : ભારતની આ દિગ્ગજ કંપની નહીં કરે ડ્રેગન સાથે વેપાર, ચીની કંપનીઓને થશે 900 કરોડનું નુકસાન
આયુષ્માન કાર્ડ હોય એવા પરિવાર કોરોનાની સારવાર કેશલેસ રીતે કરાવી શકે છે. આમ 5 લાખ રુપિયા સુધીની સારવારની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ સ્કિમમાં લાભાર્થીઓને એક કાર્ડ આપવામાં આવે છે. ઈ-કાર્ડ દ્વારા પણ સારવાર કરાવી શકાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ રીતે જાણો કે તમે યોજનાનો લાભ લઈ શકો છો કે નહીં?
આ યોજનાનો લાભ તમે લઈ શકો છો કે નહીં એ જાણવા માટે તમારે સૌપ્રથમ https://www.pmjay.gov.in/ વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી જમણી બાજુ એક ઓપ્શન ડિસ્પલે થશે જ્યાં Am I Eligible એવું લખ્યું હશે. ત્યાં ક્લિક કરીને તમે મોબાઈલ નંબર સાથે કેપ્ચા કોડ ભરીને ઓટીપી મેળવી શકશો. ઓટીપી દાખલ કર્યા પછી નામ, HHD નંબર, રેશનકાર્ડ નંબર કે મોબાઈલ દાખલ કરી જાણી શકશો કે તમે આ યોજનાનો લાભ લઈ શકો છે કે નહીં અથવા તમારું પહેલાંથી જ રજિસ્ટ્રેશન થયું છે કે નહીં.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:43 pm, Sun, 5 July 20