AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાની રફ્તાર યથાવત : પોઝિટિવિટી રેટ 19 ટકાને પાર, દેશના 11 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 76 લાખ 77 હજાર 328 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે હાલમાં 22 લાખ 2 હજાર 472 એક્ટિવ કેસ છે.

કોરોનાની રફ્તાર યથાવત : પોઝિટિવિટી રેટ 19 ટકાને પાર, દેશના 11 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ
Increase Corona Positivity Rate (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:11 PM
Share

Corona Update : દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણમાં (Corona Case) અચાનક ઉછાળો જોવા મળ્યો છે. કોરોના સંક્રમણના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 (COVID-19) ના 2,86,384 નવા કેસ નોંધાયા છે, જ્યારે 573 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4 કરોડ 3 લાખ 71 હજાર 500 ને પાર પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 76 લાખ 77 હજાર 328 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે હાલમાં 22 લાખ 2 હજાર 472 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 4 લાખ 91 હજાર 700 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં પોઝિટિવિટી દર(Positivity Rate)  વધીને 19.59 ટકા પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં કોરોનાના 3 લાખથી વધુ સક્રિય કેસ નોંધાયા છે.

ઓમિક્રોનનો આંતક યથાવત

તમને જણાવી દઈએ કે, બેંગલુરુમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના (Omicron Variant) 185 નવા કેસ નોંધાયા છે, આ સાથે કર્ણાટકમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1115 થઈ ગઈ છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ કે સુધાકરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ કોરોનાના વધતા કેસ પર સતત નજર રાખી રહ્યા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો બુધવારે કોરોના વાયરસના ચેપના 35,756 નવા કેસ નોંધાયા હતા અને 79 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવા કેસ આવ્યા બાદ કુલ કેસ વધીને 76,05,181 થઈ ગયા છે.

કિશોરોનુ રસીકરણ પૂરજોશમાં

16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોનું રસીકરણ કવરેજ રસીકરણ માટેની રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. આ અંગે માહિતી આપતાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બાળકોના રસીકરણની ગતિ ઘણી સારી છે. 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થય હતુ. અહેવાલો અનુસાર 27 જાન્યુઆરી સુધીમાં આંધ્રપ્રદેશના 99 ટકા બાળકોને રસી આપવામાં આવી છે. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં 84 ટકા, દિલ્હીમાં 76 ટકા, મધ્યપ્રદેશમાં 75 ટકા, ગુજરાતમાં 72 ટકા અને તમિલનાડુમાં 60 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Corona Vaccine: DCGIની શરતી મંજૂરી બાદ હવે બજારમાં વેચાશે Covishield અને Covaxin, કેટલી હશે કિંમત ?

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">