AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: Delhi માં વીકએન્ડ કર્ફ્યુ ખતમ, નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે, રેસ્ટોરન્ટ-બારને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી

દિલ્હીને કોરોના પ્રતિબંધોમાંથી થોડી રાહત મળી છે. DDMA અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.

Coronavirus: Delhi માં વીકએન્ડ કર્ફ્યુ ખતમ, નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે, રેસ્ટોરન્ટ-બારને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી
Night-curfew in delhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 4:18 PM
Share

દિલ્હીને (Delhi) કોરોના પ્રતિબંધોમાંથી થોડી રાહત મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ(Weekend Curfew) ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના પ્રતિબંધોને(Corona Restrictions) લઈને ચાલી રહેલી DDMA મીટિંગ પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવાયો. ગુરુવારે ડીડીએમએની બેઠકમાં દિલ્હીના બજારોમાં દુકાનોના ઓડ ઈવન નિયમને ખતમ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. આ સિવાય વીકએન્ડ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે. સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. લગ્ન સમારોહમાં 200 લોકોના ભાગ લેવા પર પણ મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, દિલ્હીમાં સરકારી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

આ સિવાય ડીડીએમએના અધિકારીઓએ કહ્યું કે, દિલ્હીમાં શાળાઓ ખોલવા અંગે કોઈ સહમતિ નથી, ડીડીએમએની આગામી બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. તાજેતરમાં જ 16 હજારથી વધુ વાલીઓએ હસ્તાક્ષર અભિયાન હેઠળ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને પત્ર મોકલ્યો હતો કે શાળાઓ ખોલવી જોઈએ અને સિસોદિયાએ પણ સહમતિ દર્શાવી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે(Anil Baijal) ડીડીએમએની બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) પણ હાજરી આપી હતી. ગયા અઠવાડિયે, દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની તમામ ખાનગી કચેરીઓને 50 ટકા હાજરી સાથે કન્ટેન્ટ ઝોનની બહાર કામ કરવાની મંજૂરી આપી હતી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે તેઓ જલ્દીથી આ પ્રતિબંધોમાંથી રાહત ઈચ્છે છે. તે જ સમયે, દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) આગામી બેઠકમાં શાળા ખોલવાની પણ ભલામણ કરશે. વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે તેમણે કહ્યું હતું કે ઓનલાઈન ક્લાસ ક્યારેય ઓફલાઈન જેવા ન હોઈ શકે.

સરકારી શાળાઓમાં 85 ટકા વિદ્યાર્થીઓને લગભગ ત્રણ અઠવાડિયામાં રસી મળી ગઈ છે. શિક્ષણ નિયામકનું લક્ષ્ય 30 જાન્યુઆરી સુધીમાં 100% રસીકરણ કરાવવાનું છે. જોકે ખાનગી અને અનુદાનિત શાળાઓમાં રસીકરણની ગતિ ધીમી છે.

કોવિડ કેસમાં વધારો

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 26 જાન્યુઆરીએ 7,498 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 25 જાન્યુઆરીએ 6,028 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ દોઢ હજાર વધુ છે. પોઝિટીવીટી રેટ પણ 10.55 ટકાથી વધીને 10.59 થયો છે. 26 જાન્યુઆરીએ 29 દર્દીઓના મોત થયા હતા જ્યારે મંગળવારે 31 દર્દીઓના મોત થયા હતા.

આ પણ વાંચો:

Covid-19 Britain:આ દેશ બન્યો માસ્ક ફ્રી, કોવિડ પાસની જરૂરિયાત પણ નહિ, જાણો કેમ ઉઠાવવામાં આવ્યું આ પગલું

આ પણ વાંચો:

આજે પ્રથમ India-Central Asia Summit સમિટની યજમાની કરશે PM Modi, વેપાર અને અફઘાન સંકટ પર થશે ચર્ચા

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">