AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: Delhi માં વીકએન્ડ કર્ફ્યુ ખતમ, નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે, રેસ્ટોરન્ટ-બારને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી

દિલ્હીને કોરોના પ્રતિબંધોમાંથી થોડી રાહત મળી છે. DDMA અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.

Coronavirus: Delhi માં વીકએન્ડ કર્ફ્યુ ખતમ, નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે, રેસ્ટોરન્ટ-બારને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી
Night-curfew in delhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 4:18 PM
Share

દિલ્હીને (Delhi) કોરોના પ્રતિબંધોમાંથી થોડી રાહત મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ(Weekend Curfew) ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના પ્રતિબંધોને(Corona Restrictions) લઈને ચાલી રહેલી DDMA મીટિંગ પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવાયો. ગુરુવારે ડીડીએમએની બેઠકમાં દિલ્હીના બજારોમાં દુકાનોના ઓડ ઈવન નિયમને ખતમ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. આ સિવાય વીકએન્ડ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે. સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. લગ્ન સમારોહમાં 200 લોકોના ભાગ લેવા પર પણ મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, દિલ્હીમાં સરકારી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

આ સિવાય ડીડીએમએના અધિકારીઓએ કહ્યું કે, દિલ્હીમાં શાળાઓ ખોલવા અંગે કોઈ સહમતિ નથી, ડીડીએમએની આગામી બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. તાજેતરમાં જ 16 હજારથી વધુ વાલીઓએ હસ્તાક્ષર અભિયાન હેઠળ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને પત્ર મોકલ્યો હતો કે શાળાઓ ખોલવી જોઈએ અને સિસોદિયાએ પણ સહમતિ દર્શાવી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે(Anil Baijal) ડીડીએમએની બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) પણ હાજરી આપી હતી. ગયા અઠવાડિયે, દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની તમામ ખાનગી કચેરીઓને 50 ટકા હાજરી સાથે કન્ટેન્ટ ઝોનની બહાર કામ કરવાની મંજૂરી આપી હતી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે તેઓ જલ્દીથી આ પ્રતિબંધોમાંથી રાહત ઈચ્છે છે. તે જ સમયે, દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) આગામી બેઠકમાં શાળા ખોલવાની પણ ભલામણ કરશે. વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે તેમણે કહ્યું હતું કે ઓનલાઈન ક્લાસ ક્યારેય ઓફલાઈન જેવા ન હોઈ શકે.

સરકારી શાળાઓમાં 85 ટકા વિદ્યાર્થીઓને લગભગ ત્રણ અઠવાડિયામાં રસી મળી ગઈ છે. શિક્ષણ નિયામકનું લક્ષ્ય 30 જાન્યુઆરી સુધીમાં 100% રસીકરણ કરાવવાનું છે. જોકે ખાનગી અને અનુદાનિત શાળાઓમાં રસીકરણની ગતિ ધીમી છે.

કોવિડ કેસમાં વધારો

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 26 જાન્યુઆરીએ 7,498 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 25 જાન્યુઆરીએ 6,028 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ દોઢ હજાર વધુ છે. પોઝિટીવીટી રેટ પણ 10.55 ટકાથી વધીને 10.59 થયો છે. 26 જાન્યુઆરીએ 29 દર્દીઓના મોત થયા હતા જ્યારે મંગળવારે 31 દર્દીઓના મોત થયા હતા.

આ પણ વાંચો:

Covid-19 Britain:આ દેશ બન્યો માસ્ક ફ્રી, કોવિડ પાસની જરૂરિયાત પણ નહિ, જાણો કેમ ઉઠાવવામાં આવ્યું આ પગલું

આ પણ વાંચો:

આજે પ્રથમ India-Central Asia Summit સમિટની યજમાની કરશે PM Modi, વેપાર અને અફઘાન સંકટ પર થશે ચર્ચા

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">