Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 31,923 નવા કેસ, 282 મૃત્યુ, 187 દિવસમાં એક્ટિવ દર્દીઓની સૌથી ઓછી સંખ્યા
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં રિકવરી રેટ હવે 97.77 ટકા સુધી પહોંચી ગયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દેશમાં કોરોનાના 3,01,640 લાખ સક્રિય દર્દીઓ છે. આ આંકડો માર્ચ 2020 પછી સૌથી ઓછો છે.
Corona Update: દેશમાં કોરોના વાયરસ (Corona virus)નો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચેપની ધીમી ગતિ વચ્ચે આજે દેશમાં કોરોના સંક્રમણના 31,923 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં રોગચાળાને હરાવ્યા બાદ 31,990 લોકો સાજા થયા છે. જે બાદ દેશમાં કોરોના (Corona virus)માંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,28,15,731 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં COVID-19 ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3,01,640 લાખ પર આવી ગયા છે, જે કુલ કેસોના 0.90 ટકા છે. આ આંકડો છેલ્લા 187 દિવસમાં સૌથી ઓછો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં રિકવરી રેટ હવે વધીને 97.77 ટકા થયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દેશમાં કોરોના(Corona virus)ના 3,01,640 લાખ સક્રિય દર્દીઓ છે. આ આંકડો માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. દરરોજનો પોઝિટિવિટી દર (Daily positivity rate) 2.09 ટકા છે, જે છેલ્લા 24 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર (Weekly positivity rate) 2.11 ટકા છે, જે છેલ્લા 90 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે. રસીકરણ (Vaccination)ના આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસ રસીના 83.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
55.83 કરોડ સેમ્પલનું ચકાસણી કરાઈ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે ભારતમાં કોરોના સંક્રમણની તપાસ માટે નમૂના પરીક્ષણનો આંકડો હવે 55.83 કરોડ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona virus)ને કારણે 282 લોકોનાં મોત નીપજ્યાં છે. જે બાદ કોરોના (Corona)થી મૃત્યુઆંક 4,46,050 ને પાર કરી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ (Corona virus)માટે 15,27,443 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા,
ગઈકાલ સુધી કુલ 55,83,67,013 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય (health Ministry)ના જણાવ્યા અનુસાર, રસીના 80.67 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories)પાસે હાલમાં રસીના 4.29 કરોડથી વધુ ડોઝ છે.
કોરોના અપડેટ (Corona update):
કુલ કેસ: 3,35,63,421
સક્રિય કેસ: 3,01,640
કુલ રિકવરી: 3,28,15,731
કુલ મૃત્યુ: 4,46,050
કુલ રસીકરણ: 83,39,90,049
સાપ્તાહિક પોઝિટિવિટીદર: 2.11 ટકા
દૈનિક પોઝિટિવિટી દર: 2.09 ટકા
રિકવરી દર : 97.77 ટકા
દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ (HCW)ને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન વર્કર્સ (FLW)નું રસીકરણ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -19 રસીકરણનો વ્યાપ વધારવા અને લોકોને રસી આપવાની ગતિને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. કોરોનાની રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે નવો તબક્કો 21 જૂન 2021થી શરૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : IPL 2021: ગબ્બરનુ પ્રદર્શન લગાતાર, દરેક સિઝને ખડકી દે છે રનનો અંબાર, સતત પાંચમી વાર આ આંકડાને પાર કર્યો