Coromandel Express Accident: PMએ તાત્કાલિક રેલવે મંત્રીનું રાજીનામું લેવું જોઈએ: રાહુલ ગાંધી

Odisha train accidents : ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે વડા પ્રધાને તાત્કાલિક રેલવે પ્રધાનનું રાજીનામું માંગવું જોઈએ.

Coromandel Express Accident: PMએ તાત્કાલિક રેલવે મંત્રીનું રાજીનામું લેવું જોઈએ: રાહુલ ગાંધી
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:29 PM

Balasore : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદથી વિપક્ષ સતત હુમલો કરી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કરીને રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમજ રાહુલ ગાંધીએ કહ્યું છે કે 270થી પણ વધુ મૃત્યુ પછી પણ કોઈ જવાબદારી નથી ! મોદી સરકાર આવા દર્દનાક અકસ્માતની જવાબદારી લેવાથી ભાગી શકે નહીં. વડાપ્રધાને તાત્કાલિક રેલવે મંત્રીનું રાજીનામું માંગવું જોઈએ !

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને આ ઘટનાને ભયાનક ગણાવી છે. તેમણે કહ્યું કે આ ભયાનક અકસ્માતને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. શું ટોચના હોદ્દા પર રહેલા લોકોની જવાબદારી માનવીય અને નૈતિક ધોરણે નક્કી ન થવી જોઈએ ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિપક્ષે રેલવે મંત્રીના રાજીનામાની કરી માંગ

તેમણે પૂછ્યું કે નિષ્ણાતો, સંસદીય સમિતિ, કેગના અહેવાલની ચેતવણી અને સૂચનોને અવગણવા માટે કોણ જવાબદાર છે ? પ્રિયંકા ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓએ પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે પીએમ મોદી અને રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ ભયાનક અકસ્માતની આકરી નિંદા કરી છે. તેમણે તેને સદીની સૌથી મોટી ઘટના ગણાવી છે. તેઓ શનિવારે બચાવ કામગીરીની સમીક્ષા કરવા આવ્યા હતા. તેણે રેલવે મંત્રી વૈષ્ણવ અને ત્યાં પહેલાથી હાજર અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી.

પોલીસે અફવા ફેલાવનારાઓને ચેતવણી આપી

સત્તાવાર આંકડાઓ અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. અને 1000 લોકો ઘાયલ થયા છે. બાલાસોરમાં થયેલા દર્દનાક અકસ્માતને સાંપ્રદાયિક રંગ આપનારાઓને ઓડિશા પોલીસે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">