AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણના કરતા વિવાદોના કારણે ચર્ચામાં રહે છે JNU ! છત્રપતિ શિવાજીની તસવીર ફેંકી દેવાતા હંગામો, જુઓ VIDEO

શિવાજીની જન્મજયંતિએ જ તેમની તસ્વીર નીચે ફેંકવામાં આવતા યુનિવર્સિટી કેમ્પસમાં તણાવ જોવા મળી રહ્યો છે. હાલ કેમ્પસમાં ગુંડાગીરીને લઈ ABVP ના વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે.

શિક્ષણના કરતા વિવાદોના કારણે ચર્ચામાં રહે છે JNU ! છત્રપતિ શિવાજીની તસવીર ફેંકી દેવાતા હંગામો, જુઓ VIDEO
Controversy over Shivaji in JNU
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 6:59 AM
Share

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરી એકવાર હંગામો થયો છે. રવિવારે ડાબેરીઓએ JNUમાં સ્ટુડન્ટ્સ યુનિયન ઓફિસમાં વીર શિવાજીના તસવીરને તોડફોડ કરી ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે. આ ઘટના પર ABVPએ પણ ટ્વીટ કર્યું છે. હાલ કેમ્પસમાં ડાબેરીઓ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ABVP નો એક વિદ્યાર્થી કહી રહ્યો છે કે, “અહીં હમણાં જ ડાબેરી ગુંડાઓ દ્વારા શિવાજી અને મહારાણા પ્રતાપજીની તસવીરો પરથી માળા હટાવી દેવામાં આવી છે. આ સાથે અહીં તોડફોડ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ ઘટનાની નિંદા કરી છે.આપને જણાવી દઈએ કે, એબીવીપીના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ગુંડાગીરી માટે ડાબેરી વિદ્યાર્થીઓ પર સીધો આરોપ લગાવ્યો છે.

ABVPએ આરોપોને નકારી કાઢ્યા હતા

તો આ તરફ ડાબેરી સમર્થિત JNU સ્ટુડન્ટ્સ યુનિયને આરોપ લગાવ્યો હતો કે IIT  બોમ્બેના વિદ્યાર્થી માટે ન્યાયની માંગણી સાથે નીકળેલી માર્ચ પછી ABVP એ કેટલાક વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જોકે, ABVP એ આ આરોપને નકારી કાઢ્યો છે. અને ABVPએ ડાબેરી સમર્થિત વિદ્યાર્થી સંગઠનો પર છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

મહત્વનુ છે કે, ગઈ કાલે શિવાજીની જન્મજયંતિ હતી. PM મોદીએ રવિવારે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું હતુ કે હિંમત અને સુશાસન અંગેના તેમના વિચારો તેમને પ્રેરણા આપે છે. 1630 માં જન્મેલા શિવાજી તેમની શક્તિ, લશ્કરી પરાક્રમ અને તીવ્ર નેતૃત્વ માટે જાણીતા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">