કોંગ્રેસના જયરામ રમેશે, જે પી નડ્ડાને પત્ર લખી જણાવ્યુ, રાહુલના ભ્રામક વીડિયો પર માફી માંગે ભાજપ, નહી તો કરાશે કાનુની કાર્યવાહી

જેપી નડ્ડાને લખેલા પત્રમાં જાયરા રમેશે જણાવ્યું હતું કે, "મને એ જાણીને આઘાત લાગ્યો છે કે તમારી પાર્ટીના કેટલાક સાથીઓએ 1 જુલાઈના રોજ એક ચેનલ પર પ્રસારિત થયેલ "ફેક ન્યૂઝ"નો રિપોર્ટ જાણી જોઈને શેર કર્યો છે."

કોંગ્રેસના જયરામ રમેશે, જે પી નડ્ડાને પત્ર લખી જણાવ્યુ, રાહુલના ભ્રામક વીડિયો પર માફી માંગે ભાજપ, નહી તો કરાશે કાનુની કાર્યવાહી
Rahul Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 6:46 AM

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે સંબંધિત એક વીડિયો શેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે, તેને “ફેક ન્યૂઝ” તરીકે ફેલાવવામાં આવ્યો હતો અને જો ભાજપ અને તેના નેતાઓ આ માટે માફી નહીં માંગે તો. યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને (JP Nadda) પત્ર લખીને જુઠ્ઠાણું ફેલાવવા બદલ તેમના નેતાઓ વતી માફી માંગવા કહ્યું છે.

ખરેખર તો આ વીડિયો એક ન્યૂઝ ચેનલનો છે. કોંગ્રેસનું કહેવું છે કે તેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં SFI કાર્યકરો દ્વારા કથિત હુમલાના સંદર્ભમાં ટિપ્પણી કરી હતી, જે તેના પૂર્વ અધ્યક્ષે ટિપ્પણી કરી હતી. જેને એક ન્યૂઝ ચેનલ દ્વારા ઉદયપુરની ઘટના સાથે જોડી દેવામાં આવી હતી. નડ્ડાને લખેલા પત્રમાં જયરામ રમેશે જણાવ્યું હતું કે, “હું એ જાણીને ચોંકી ગયો છું કે તમારી પાર્ટીના કેટલાક સાથીઓએ (1 જુલાઈ) ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલ એ સમાચારનો વીડિયો રિપોર્ટ જાણીજોઈને શેર કર્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભ્રામક વીડિયો સબમિટ કર્યો

“મૂળ વિડિયોમાં, રાહુલ ગાંધી તેમની વાયનાડ ઑફિસમાં SFI દ્વારા આચરવામાં આવેલી હિંસા પર ટિપ્પણી કરી રહ્યા હતા, પરંતુ ઇરાદાપૂર્વક તેને એડીટ કરી નાખવામાં આવ્યો હતો અને ચેનલ દ્વારા એવી રીતે રજૂ કરવામાં આવ્યો હતો કે ટિપ્પણી ઉદયપુરમાં કનૈયાલાલની જઘન્ય હત્યાના સંબંધમાં હતી. હકીકતમાં, અન્ય કોઈ ચેનલે આ ક્લિપને આટલી જાણી જોઈને ઉપજાવી કાઢેલી અને મૂળ સંવાદ સાથે છેડછાડ કરીને રજૂ કરી નથી.

રમેશે જે પી નડ્ડાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે તમારા પક્ષના ઘણા સાથીદારો- રાજ્યવર્ધન રાઠોડ, સુબ્રત પાઠક, કમલેશ સૈની, કેટલાક ધારાસભ્યો અને અન્ય લોકોએ ખૂબ જ ઉત્સાહથી અને સત્યતા બાબતે કોઈ પણ જાતની ચકાસણી કર્યા વિના જાણી જોઈને બનાવટી અને વિકૃત અહેવાલોને” સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ભાજપે માફી માંગવી જોઈએ

જયરામ રમેશે પત્રમાં લખ્યુ છે કે, ““અમે પહેલાથી જ મૂળ પ્રસારણકર્તા ચેનલ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમે આશા રાખીએ છીએ કે તમે અને તમારા પક્ષના સાથીદારો આવા જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરશો અને આવી હરકતોથી દૂર રહેશો”. આ ઉપરાંત, “હું આશા રાખું છું કે આ રીતે સત્યનું અપમાન કરનાર તમારા સાથીદારો વતી તમે તરત જ યોગ્ય માફી માંગશો. આવા બેજવાબદાર અને ગુનાહિત રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવાનો આગ્રહ રાખનારા પક્ષ અને તેના નેતાઓ સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરશો.”

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">